વડોદરામાં ભગવાન જગન્નાથની 41મી રથયાત્રાની ભવ્ય તૈયારી
ભગવાનના રથને શણગારી નવા રંગોરોપાન કરાયા
2.5લાખના ફુલો મંગાવીને કરાશે ભગવાનનો શણગાર
1લી જુલાઇએ અષાઢી બીજ. આ દિવસે રંગે ચંગે રથયાત્રાની ઉજવણી કરવામાં આવે છે. મોટા જગન્નાથપુરી સહિત દેશભરમાં આ પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ સહિત અનેક મહાનગરોમાં પણ રથયાત્રા પર્વ ઉજવાય છે. ત્યારે આ વખતે વડોદરામાં 41મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ કરી દેવામાં આવી છે.
30 ટન શીરાનો પ્રસાદ
કોરોના કાળના બે વર્ષ બાદ ધામધૂમથી રથયાત્રા નીકળવાની છે ત્યારે વડોદારની જો વાત કરીએ તો વડોદરામાં આ વર્ષે પહેલીવાર શીરો અને જાંબુનો પ્રસાદઆપવામાં આવશે. જે માટે 30 ટન શીરાનો પ્રસાદ બનાવવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહેનાર છે. વિદેશથી પણ સંતો હાજરી આપવા આવશે જેને લઇને સુરક્ષાની દ્રષ્ટિએ કોઇ કચાશ રાખવામાં આવી નથી. રથયાત્રાના રૂટ પર 2 હજાર 500 જવાનો તૈનાત કરાયા છે. તેમજ બોમ્બ સ્કવોર્ડની ટીમ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું.
થાઇલેન્ડથી ભગવાન માટે આવશે ફુલો
ભગવાન જગન્નાથજીના શણગારની વાત કરીએ તો ભગવાન આ વખતે વિદેશી ફુલોથી સજ્જ હશે. અંદાજિત 2.5 લાખ રૂપિયાના ફુલ લાવવામાં આવશે. થાઇલેન્ડના ફુલોથી ભગવાનનો શણગાર કરવામાં આવશે. એટલે અષાઢી બીજે ખાસ ભગવાન જગન્નાથ ફુલોથી સુશોભિત જોવા મળશે. તો બીજી તરફ રથયાત્રાને લઇને ભક્તોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં અમેરિકા, UK ઇસ્કોન મંદિરનાં સંતો આવશે.