અષાઢી બીજે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરજનોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે.
રથયાત્રાને લઇને તૈયારીઓ પુરજોશમાં
મંદિર પરિસરમાં થયું રંગરોગાન
અખાડા અને કરતબબાજી ક્લાસ શરૂ
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે રથયાત્રા ન નીકળી શકવાને કારણે આ વખતે રથયાત્રા રંગેચંગે નીકળશે.ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. અષાઢી બીજના દિવસે નાથ નગરચર્યાએ નીકળશે.ભગવાન હાલ મોસાળ સરસપુરમાં લાડ લડી રહ્યા છે. રોજ અલગ અલગ ભાતના પકવાન તેમજ ધૂનોની રમઝટ વાગી રહી છે. બાદમાં પિહિંદ વિધિ બાદ ભગવાન દર્શન આપવા નીકળશે.
પરિસરમાં રંગ રોગાન અને લાઈટિંગનું કામ શરૂ
અમદાવાદમાં કોરોનાકાળના 2 વર્ષ બાદ ધામધૂમથી રથયાત્રાનું આયોજન કરવામાં આવશે, ત્યારે રથયાત્રાને લઈને મંદિર પરીસરમાં તૈયારીઓ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. રથયાત્રાને લઈને મંદિર પરિસરમાં રંગ રોગાન થયું છે. જે અંતર્ગત મંદિરની અંદર અને બહાર રંગબેરંગી લાઈટો લગાવાનું અને મંદિરની દીવાલો રંગવાનું કામ શરૂ થયું છે. સાથે જ રથયાત્રા પૂર્વે મંદિર પરિસરનું સુશોભન પણ શરૂ કરવામાં આવ્યું છે.
અખાડા અને કરતબબાજી મુખ્ય આકર્ષણ
આ રથયાત્રાની ભવ્ય ઉજવણીનું મુખ્ય આકર્ષણ અખાડા અને કરતબબાજી છે. જેને લઈને પણ વસંત વ્યાયમ શાળામાં તૈયારીઑ કરવામાં આવી રહી છે. લાકડી દાવ, ચક્કર દાવ, તલવાર બાજીના કરતબ જોવા મળશે.
145મી રથયાત્રા ટેકનોલોજી યુક્ત રથયાત્રા હશે
ક્રાઈમ બ્રાંચ દ્વારા રથયાત્રામાં સામેલ અખાડા અને અન્ય જે લોકો સામેલ થવાના છે તે તમમાં લોકો સાથે મીટીંગો કરી લેવામાં આવી છે આ ઉપરાંત પોલીસ કર્મીઓના યુનિફોર્મ પર બોડીઓન કેમરા પણ ફીટ કરવામાં આવશે.400થી વધુ બોડી ઓન કેમેરા સાથે પોલીસ સજ્જ રહેશે.જેનું લાઈવ સ્ટ્રીમીંગ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે રાખવામાં આવ્યું છે તદઉપરાંત રથયાત્રાના મુમેન્ટ આખી ખબર પડે તેના માટે તહીને GPS ટ્રેકર રથમાં લગાડવામાં આવશે જેથી કરીને રથનો પરફેક્ટ રૂટ ખ્યાલ આવી શકે છે એટલે એકદંરે જોવા જઈએ તો આ વખતની ૧૪૫ મી રથયાત્રા ટેકનોલોજી યુક્ત રથયાત્રા યોજાવવાની છે અને પોલીસ વિભાગે સુરક્ષાના તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરી દીધેલી જોવા મળી રહી છે.
ટીઝર ગનનું રહેશે સુરક્ષા કવચ
ભગવાન જગ્નાનાથજીની 145 મી રથયાત્રા આ વખતે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવવાનો છે.. કારણકે 35 જેટલી ટેઝર ગન વડે ક્રાઈમ બ્રાંચનો એક ખાસ સ્કોવડ રથયાત્રામાં તૈનાત રહેવાનો છે..સૌ પ્રથમ વખત રથયાત્રામાં ટેઝર ગન નો ઉપયોગ કરવામાં આવશે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ આ ગન વડે રથયાત્રામાં હાજર રહેશે સામાન્ય રીતે આ ટીઝર ગનનો ઉપયોગ કોઈપણ આરોપીને દુરથી જબેભાન કરવા માટે ઉપયોગમાં કરાતો હોય છે.. આ ટીઝર ગન વડે ફાયર કરવાથી એક વાયર નીકળતો હોય છે અને આ વાયરમાં રહેલો ઇલેક્ટ્રિક કરંટ સામે વ્યક્તિને લાગતો હોય છે કરંટ લાગતાની સાથે જ સામે વાળી વ્યક્તિ પાંચ થી દસ મિનીટ માટે બેહોશ થઇ જતી હોય છે જેથી કોઈપણ વ્યક્તિને ધરપકડ કરવી કે ન્યુટ્રલાઈઝ કરવો સરળ બનતો હોય છે.
SOG દ્વારા અલગ-અલગ ટીમો બનાવી રથયાત્રા સુધી તપાસની કાર્યવાહી