કેન્દ્રીય આયુષ મંત્રાલય પરંપરાગત દવાઓની ક્ષમતા ચકાસવા માટે 50 લાખ લોકોનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ માટે લગભગ 1.80 લાખ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ માટે ટૂંક સમયમાં ડબ્લ્યુએચઓ તરફથી સંશોધકોને તાલીમ પણ આપવામાં આવશે.
પ્રતિકારક ક્ષમતા પર એપ્લિકેશનથી સર્વે
આયુર્વેદ દવાઓનું પણ પરીક્ષણ થશે
80 હજાર દિલ્હી પોલીસ કર્મચારીઓની નોંધણી થઈ
અલગ અલગ જૂથમાં પરીક્ષણ કરવાનું આયોજન છે. આયુષ મંત્રાલયમાં અધિક સચિવ પી.કે.પાઠકની દેખરેખ હેઠળ એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. પરીક્ષણ ત્રણ તબક્કામાં થશે. આમાં સામાન્ય લોકો, સુરક્ષા કર્મચારીઓ, એનજીઓ, આરોગ્ય કર્મચારીઓનાં જૂથો અને પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થશે.
આઇસીએમઆર, ઇન્ડિયન પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમિક ડિસીસ કન્ટ્રોલની સલાહ મુજબ, પરીક્ષણ પ્રક્રિયા આગળ વધશે.
આયુર્વેદ દવાઓનું પણ પરીક્ષણ થશે
આયુર્વેદનું પરીક્ષણ કરવાની પણ યોજના છે. દિલ્હીની તિબ્બિયા કોલેજ અને ચૌધરી બ્રહ્મપ્રકાશ આયુર્વેદ હોસ્પિટલમાં પણ પરીક્ષણ ચાલી રહ્યું છે. બીએચયુએ ફિફાટ્રોલ પર પણ પરીક્ષણની મંજૂરી માંગી છે.
પ્રતિકારક ક્ષમતા પર એપ્લિકેશનથી સર્વે
મંત્રાલય સંજીવની મોબાઇલ એપ્લિકેશન દ્વારા પ્રતિરક્ષા વધારવામાં પરંપરાગત દવાઓના ઉપયોગ અને અસરની પણ શોધ કરશે. 80 હજાર દિલ્હી પોલીસ કર્મચારીઓની નોંધણી પણ કરવામાં આવી છે, જેના દ્વારા આયુ ઈમ્યૂનિટી વધારતા ઉત્પાદનોનો અભ્યાસ કરવામાં આવશે.