ચારધામ યાત્રાને લઈને તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. તા. 22 એપ્રિલથી યાત્રા શરૂ થઈ રહી છે જેના ભાગરૂપે 31 માર્ચથી તૈયારી પૂર્ણ કરવા આદેશ કરાયા છે.
ચારધામ યાત્રાને લઈને તૈયારીઓ તેજ
તા. 22 એપ્રિલથી યાત્રા શરૂ થઈ રહી છે
31 માર્ચથી તૈયારી પૂર્ણ કરવા આદેશ
ચાર ધામની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આગામી ૨૨ એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. મહત્વની ગણાતી આ યાત્રાને લઈને ઋષિકેશમાં ખાતે બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જે બેઠકમાં 31 માર્ચ સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવી સૂચનો જારી કરી દેવાયા છે.
૩૧ માર્ચ સુધી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવા આદેશ
અપ્રિલ મહિનામાં શરૂ થનારી ચારધામ યાત્રાને પગલે ઋષિકેશના મ્યુનિસિપલ કોર્પોરેશન ઓડિટોરિયમ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.એટલું જ નહીં આયોજનમાં કોઈ કમી ન રહે તેવી સૂચના અપાઈ છે. ૩૧ માર્ચ સુધી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવા પણ જણાવાયું છે. ચારધામ યાત્રા પહેલા ઉત્તરાખંડ ટુરીઝમ ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર પણ શરૂ કરી દેશે. મહત્વની વાત તો એ છે કે ૨૦ ફેબ્રુઆરીથી ચારધામ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન શરૂ થવાની શક્યતા સેવાઈ રહી છે.
આગામી ૨૨ એપ્રિલના રોજ અક્ષય તૃતિયા છે. અને આ શુભ દિવસથી ચારધામ યાત્રા શરૂ કરવામાં આવશે. ચારધામ યાત્રાની વાત કરીએ તો ગંગોત્રી-જમુનોત્રી ધામના દરવાજા આ શુભ દિવસે એટલે કે અક્ષય તૃતિયાના દિવસે ખુલશે. જ્યારે બદ્રીનાથ ધામની વાત કરીએ તો ૨૭ એપ્રિલના રોજ દર્શાનાર્થી માટે દરવાજા ખુલશે.
યાત્રાળુઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે
ચારધામ યાત્રામાટે દેશભરની સાથે સાથે વિદેશથી પણ લોકો આવતા હોય છે. અને આ વર્ષે તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની મુલાકાત લેવાના હોવાથી તમામ દર્શાનાર્થી અને શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે તેમજ સુચારૂ આયોજનને લઈને ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશનનો અમલ કરવામાં આવશે.
ગયા વર્ષે ૪૬ લાખ શ્રદ્ધાળુઓએ લીધી હતી મુલાકાત
ચારધામ યાત્રાનું એક અનોખુ મહત્વ છે ત્યારે ગત વર્ષની વાત કરીએ તો ૪૬ લાખ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી. જેની સરખામણીમાં આ વર્ષે આ આંકડો વધવાની શક્યતા તંત્ર દ્વારા કરાઈ રહી છે. અને આ આંકડો વધતા કોઈપણ શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની સમસ્યા ન સર્જાઈ તે માટે પ્રશાસનના વડાએ સંબંધિત તમામ વિભાગને ૩૧ માર્ચ સુધી તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી પૂર્ણ કરી લેવા સૂચના આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે જિલ્લા મેજિસ્ટ્રેટ સુશીલ કુમારની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ બેઠકમાં તમામ પ્રકારની ચારધામને લગતી સૂચના આપી દેવામાં આવી છે.