બનાસકાંઠામાં માં અર્બુદા રજત જયંતિ મહોત્સવના લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે યોજાનારા આ ઉત્સવમાં દસ લાખ લોકો માં ના દર્શન કરવા ઉમટશે.
માં અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને તૈયારીઓ પૂર્ણ
કાલે નીકળશે અર્બુદા માતાજીની ભવ્ય શોભાયાત્રા
આ ઉત્સવમાં 10 લાખથી વધુ લોકો દર્શનાર્થે ઉમટશે
બનાસકાંઠામાં માં અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને સમગ્ર આંજણા ચૌધરી પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વૃદ્ધો વડીલો યુવાનો બાળકો તેમજ મહિલાઓ માં અર્બુદાના રજત જયંતિ મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહી છે. ત્યારે આજે મહિલાઓ દ્વારા જેમ ઘરે પ્રસંગ હોય અને મહેંદી મૂકીને શણગાર કર્યો હોય તે રીતે આ માતાજીના પ્રસંગની શરૂઆતમાં આજે 5000 થી વધુ મહિલાઓએ માં અર્બુદાધામ પાલનપુર ખાતે એકઠા થઈ અને તમામ મહિલાઓએ મહેંદી મૂકી અને માતાજીના ઉત્સવને આનંદભેર ઉજવવા માટે આનંદવિભોર થઈ હતી.
કાલે નીકળશે અર્બુદા માતાની ભવ્ય શોભાયાત્રા
આ ઉત્સવમાં મહિલાઓએ એક અનોખી ભૂમિકા ભજવી હતી. યજ્ઞશાળા લીંપણમાં પણ 5000 થી વધુ મહિલાઓ જોડાઈ હતી. જ્વારા વાવવામાં 5000 થી વધુ મહિલાઓ ભાગ ભજવ્યો હતો. તેમજ છેલ્લા બે દિવસથી દસ લાખ લાડુ બનાવવા માટે પણ બહેનોએ ખડેપગે સેવા બજાવી છે અને આ મહેદી મૂકવામાં પણ 5,000 થી વધુ મહિલાઓ એકઠી થઈ અને માં ના ઉત્સવને લઈને આનંદીત જોવા મળી હતી. આ સમગ્ર ઉત્સવમાં જ્યારે દસ લાખ લોકો માં ના દર્શન માટે આવવાના છે. ત્યારે સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવે છે તેમજ આવતી કાલે વહેલી સવારે એક લાખ લોકોની હાજરીમાં ઢોલ નગારા સાથે માં અર્બુદા માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે.
ત્રણ દિવસનો સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ
અર્બુદા રજત જયંતિ મહોતમો સમગ્ર દેશભરમાંથી દસ લાખથી વધુ ચૌધરી સમાજના ભાઈઓ-બહેનો સહિત અન્ય સમાજના લોકો જ્યારે આ યજ્ઞના દર્શન માટે આવવાના છે ત્યારે આવનાર ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર યજ્ઞ ભોજન સમારંભ દરમિયાન ભક્તોને ભોજન માટે પણ કોઈ બહારનો વ્યક્તિ નહીં પણ સમાજના જ ભાઈઓ બહેનો દ્વારા ભોજન પીરસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ બહેનો અને યુવાનો પણ આ સમગ્ર કામગીરી દરમિયાન ભોજન પ્રસાદ પીરસવા માટે જોડાશે. એટલે કે માતાજીનાં આ પ્રસંગમાં લાખો લોકો આવવાના છે ત્યારે એમની સેવા કરવા માટે પણ આ પ્રસંગમાં સમાજના લોકો દરેક જગ્યાએ ખડે પગે સેવા બજાવશે. આગામી બે દિવસમાં 1 લાખ લોકો સાથેની શોભાયાત્રા તેમજ 50 હજાર બહેનો મહેદી મૂકશે. 51 હજાર ભક્તો એકસાથે માં અર્બુદાની આરતી કરશે. તેમજ જિલ્લાનાં દરેક ગામમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાશે.
માં અર્બુદા રજત જયંતિ મહોત્સવનો પ્રસાદ તૈયાર
આ મહોત્સવને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સૌથી મોટા યોજનારા આ યજ્ઞને લઈને થોડા દિવસ પહેલા બનાસકાંઠા આંજણા ચૌધરી સમાજની પાંચ હજારથી વધુ બહેનોએ યજ્ઞશાળામાં પણ લીંપણનું કામ કર્યું હતું. ત્યારબાદ 5 હજાર જેટલી મહિલાઓએ જવારા વાવી અને ઉત્સાહથી આ કામમાં ભાગ લીધો હતો ત્યારે આ સમગ્ર યજ્ઞ દરમિયાન ભોજન પ્રસાદ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર જિલ્લાનાં ગામડાઓમાંથી પાંચ હજારથી વધુ બહેનો ભોજન પ્રસાદ માટે લાડુ બનાવવા માટે આવી પહોંચી હતી. પશુપાલનનું સવારનું કામ કરી મહિલાઓ ઉત્સાહ સાથે લાડુ બનાવવા પહોચી હતી. એક દિવસમાં પાંચ લાખથી વધુ લાડુ બનાવવા માટે સમાજની તમામ બહેનોએ સવારથી જ કામની શરૂઆત કરી હતી. માસ્ક, ટોપી, હાથ મોજા પહેરી બનાવ્યો મહાપ્રસાદ
તમામ મહિલાઓ દ્વારા જ આ લાડુ બનાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને જેને લઈને તમામ મહિલાઓએ લાડુ બનાવવાની તમામ કામગીરી જાતે જ કરી હતી લાડુ બનાવવા તેમજ લાડુને યોગ્ય જગ્યાએ મૂકવા સહિતની કામગીરી મહિલાઓએ કરી હતી. લાડુનો પ્રસાદ બનાવતી વખતે તમામ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ મહિલાઓ દ્વારા માથે ટોપી હાથ મોજા તેમજ માસ્કનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો એટલે કે આ મહાપ્રસાદ બનાવવામાં ક્યાંય પણ ચૂક ન રહી જાય તે પ્રકારની તમામ બાબતોનું ધ્યાન રાખી અને આજે 5000થી વધુ મહિલાઓએ મહાપ્રસાદ માટે લાડુ બનાવવાની શરૂઆત કરી હતી પ્રથમ દિવસે પાંચ લાખ લાડુ તૈયાર થાય તે માટેનું આયોજન કરાયું હતું હજુ પણ વધારે પ્રસાદ બનાવવા માટે સતત બહેનો આ રીતે માતાજીના આશીર્વાદ થકી સતત ખડે પગે સેવા આપશે.