પોલીસની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય થયું સક્રિય,ત્રીજી લહેરની સુનામી સામે લડવા માટે પોલીસે અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રોગપ્રતિકારક શક્તિ વધુ હશે તો નહી થાય કોરોના
પોલીસે અગમચેતીના ભાગરૂપે શરૂ કરી તૈયારીઓ
ટ્રાફિક પોલીસ કર્મચારીને અશ્વગંધા ચૂર્ણ અપાયું
કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે ત્યારે ત્રીજી લહેર આવવાના ભણકારા વાગી રહ્યા છે. ત્રીજી લહેરની સુનામી સામે લડવા માટે પોલીસે અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રોગપ્રતિકારક શક્તિ વધુ હશે તો નહી થાય કોરોના
અમદાવાદમાં લગભગ ત્રણ હજાર જેટલા ટ્રાફિક પોલીસને આયુર્વેદિક ઔષધીઓથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અશ્વગંધા ચૂર્ણ ફરિજયાત આપવાનો નિર્ણય કર્યો છે. તંત્રનું એવું માનવું છે કે ટ્રાફિક પોલીસ આખો દિવસ જાહેરમાં ઊભા રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે, જેથી તેમને કોરોના થવાની શક્યતાઓ વધી જાય છે, જેના કારણે જો તેમની રોગપ્રતિકારક શક્તિ વધુ હશે તો તે કોરોનાથી બચી શકે છે.
પોલીસે અગમચેતીના ભાગરૂપે શરૂ કરી તૈયારીઓ
કોરોનાની બીજી લહેર એટલી બધી ખતરનાક હતી કે જેમાં આઇપીએસ સહિતના પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે. કોરોનાના સમયે પોતાના જીવને જોખમમાં મૂકીને પોલીસ કર્મચારીઓ શહેરની સુરક્ષા કરે છે ત્યારે તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુષ મંત્રાલય એલર્ટ થયું છે. પોલીસ કર્મચારીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધીઓ આપવામાં આવી રહી છે.
ટ્રાફિક પોલીસ કર્મચારીને અશ્વગંધા ચૂર્ણ અપાયું
શહેરમાં ૩૦૦૦ ટ્રાફિક પોલીસ જવાનને આયુર્વેદિક ઔષધીઓથી રોગપ્રતિકારક શકિત વધારવાને લઈ પોલીસ વિભાગ સિક્રય થયો છે. પોલીસ જવાનોએ વેક્સિન લીધી છે, પરંતુ ત્રીજી લહેરમાં વેક્સિન લીધા બાદ પણ અસર થઈ શકે છે તેવી શકયતાને લઈ આયુષ મંત્રાલયે એલર્ટ થઈ પોલીસ વિભાગને અશ્વગંધા ચૂર્ણ ફરિજયાત આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રાફિક પોલીસ આખો િદવસ રોડ ઉપર ઊભા રહીને પોતાની ફરજ બજાવે છે, જેના કારણે તેમને કોરોના થવાની શક્યતાઓ વધી જાય છે.