દેશભરમાં કોરોનાની બે લહેર બાદ ત્રીજી લહેર આવવાની શક્યતા દેશભરના નિષ્ણાંતો દર્શાવી રહ્યા છે, જેને લઈ અમદાવાદ કોર્પોરેશન દ્વારા અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ
અમદાવાદ કોરોનાની ત્રીજી લહેરને લઇ તૈયારીઓ શરૂ
ફરી વિકટ સ્થિતિ ન બને તે માટે પ્રયાસ
ઝોન લેવલે કુલ 7 કમિટીની રચના કરાઇ
કોરોના સંક્રમણની ત્રીજી લહેરને લઇ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ મનપા દ્વારા અગાઉથી જ તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ફરીથી વિકટ પરિસ્થિતિ ન બને તે માટે AMC દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને ઝોન લેવલે કુલ-7 કમિટીની રચના કરવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરાઇ છે. જેમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર, ડેપ્યુટી ઇજનેર અને એસ્ટેટ અધિકારીનો સમાવેશ કરાયો છે. ફાયર સ્ટેશન ઓફિસર, અને ઇલેક્ટ્રીક એન્જિનિયરનો પણ સમાવેશ કરાયો છે. બીજી લહેરમાં અમદાવાદની સ્થિતિ ગંભીર બની છે. ત્યારે ફરી એવુ ન થાય તેને લઇ તંત્રએ તૈયારી કરી છે.
ગુજરાતમાં બીજી લહેરમાં સરકારના આંકડાઓને લઈ સવાલ
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસ અને હાહાકર જેવી પરિસ્થિતિ વચ્ચે સંક્રમણની બીજી લહેરમાં ઘણા બધા લોકો દ્વારા સરકારના આંકડાઓ સામે સવાલો ઊભા કરવામાં આવ્યા છે. દેશ જ નહીં વિદેશી મીડિયાએ પણ દાવો કર્યો છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે થઈ રહેલી મોતના આંકડા સરકાર બતાવે છે તેના કરતાં ઘણા વધારે હોય શકે છે.
અન્ય બીમારીથી મૃત્યુની આડમાં સરકાર છૂપાવી રહી છે આંકડા
ગુજરાતમાં પણ કોરોના વાયરસના કારણે થઈ રહેલી મોતના આંકડાઓ સામે આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને ઘણીવાર સરકાર જ પોતાના આંકડાઓમાં ગોથાં ખાતી હોય તેવી ઘટનાઓ સામે આવી છે. કોંગ્રેસ દ્વારા પણ વારંવાર સરકારના મોતના આંકડા સામે સવાલો કરવામાં આવે છે ત્યારે હવે સરકારના જ વિભાગો સરકારના આંકડાઓની પોલ ખોલી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ પર જે આંકડા બહાર પાડવામાં આવે છે તે અનુસાર રાજ્યમાં છેલ્લા 71 દિવસમાં 4218 દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત થયા છે. પરંતુ સરકારના જ વિભાગ વારા 1.23 ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવે છે. પહેલી માર્ચથી 10 મે સુધીમાં ગુજરાતમાં 1,23,871 ડેથ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યા છે જેમાં અમદાવાદમાં 71 દિવસમાં 13,593 ડેથ સર્ટિ ઈશ્યૂ થયા હોવાનું સામે આવ્યું છે.
ચાર મોટા શહેરમાં 71 દિવસમાં કેટલા ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયા