દેશમાં એક નવા રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય કાનૂન માટે ડ્રાફ્ટ બિલની વિવિધ જોગાઈઓને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
દેશમાં એક નવો રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય કાયદો આવશે
મોદી સરકાર કરી રહી છે આ તૈયારી
125 વર્ષ જૂના કાયદાને આપશે નવું સ્વરૂપ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને અન્ય સરકારી વિભાગોના અધિકારીઓએ એક નવા રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય કાનૂન માટે ડ્રાફ્ટ બિલની વિવિધ જોગાઈઓને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર ડ્રાફ્ટ તૈયાર થયા બાદ તેને કેન્દ્રીય મંત્રીમંડળને મોકલતા પહેલા સમીક્ષા માટે પબ્લિક ડોમેઈનમાં રાખવામાં આવશે. દેશમાં ત્રીજી કોવિડ લહેર સાથે રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય બિલને સંસદમાં ચોમાસુ સત્રમાં રજૂ થવાની આશા છે.
125 વર્ષ જૂના કાયદાને નવું રૂપ મળશે
પ્રસ્તાવિત રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય અધિનિયમ 2017થી કામ કરી રહ્યું છે અને એક વાર પાસ થયા બાદ તે 125 વર્ષ જૂની મહામારી રોગ અધિનિયમ 1897 (Epidemic Diseases Act, 1897) ની જગ્યા લેશે. આ બાયો ટેરરિઝ્મ પ્રાકૃતિક ઈમરજન્સી, રસાયણિક અને પરમાણુ હુમલાના કારણે સાર્વજનિક સ્વાસ્થ્ય અને ઈમરજન્સીની સ્થિતિમાં કવર કરશે. નવો ડ્રાફ્ટ કેટલીય સ્થિતિઓને પરિભાષિક કરે છે. જેમાં સાર્વજનિક સ્વાસ્થ્ય ઈમરજન્સી ઘોષિત કરી શકાય છે.
રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીને મળશે આ પાવર
રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રાધિકરણનું નેતૃત્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવાનો પ્રસ્તાવિત છે. જેની અધ્યક્ષતા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી કરશે. જિલ્લા કલેક્ટર આગામી સ્તરનું નેતૃત્વ કરશે, અને બ્લોક એકમોનું નેતૃત્વ બ્લોક ચિકિત્સા અધિકારી અથવા ચિકિત્સા અધિક્ષક કરશે. આ અધિકારીઓ પાસે ઉભરતી સંક્રામક બિમારીઓને રોકવા માટે ઉપાય કરવાનો અધિકાર હશે.
લોકડાઉનની વિસ્તારથી વ્યાખ્યા
ડ્રાફ્ટમાં આઈસોલેશન, ક્વારન્ટાઈન અને લોકડાઉન જેવા અલગ અલગ ઉપાયોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડ પ્રબંધન માટે મોટા પાયે લાગૂ કરી શકાય છે. લોકડાઉન પરિભાષામાં સાર્વજનિક અથવા પ્રાઈવેટ ક્ષેત્રમાં કોઈ પણ સ્થાન પર વ્યક્તિઓની અવર જવર અથવા સભા પર પ્રતિબંધ સામેલ છે. તેમાં કારખાના, ફેક્ટ્રીઓ, ખનન, નિર્માણ, કાર્યલયો, શૈક્ષણિક સંસ્થાઓ અને બજાર સ્થળોના કામકાજને પ્રતિબંધિત કરવાનું સામેલ છે.
2020માં થઈ હતી જાહેરાત
2017માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સાર્વજનિક સ્વાસ્થ્ય અધિનિયમ 2017નો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. સપ્ટેમ્બર 2020માં તત્કાલિન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સંસદમાં જાહેરાત કરી હતી કે, સરકાર રાષ્ટ્રીય સાર્વજનિક સ્વાસ્થ્ય કાનૂન બનાવશે.