દરેક નોકરીયાત શખ્સના પગારમાંથી નક્કી થયેલ એક રકમ PF સ્વરૂપે કર્મચારીના કર્મચારી પ્રોવિડંડ ફંડના ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમને સુરક્ષિત ભવિષ્યનું સૌથી ઉત્તમ ફંડ માનવામાં આવે છે.
પેન્શનરોને લઇને સરકાર લઇ શકે છે મોટો નિર્ણય
58 વર્ષથી 60 વર્ષ સુધી કરાઇ શકે વય મર્યાદા
6 કરોડ પેન્શન ધારકોને થશે ફાયદો
આ સાથે જ તેના દ્વારા ઉંમરના અંતિમ પડામાં લોકોને પેન્શનનો પણ ફાયદો થાય છે. જો કે, હવે પેન્શન સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં બદલાવ થવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ફેરફારની સીધી જ 6 કરોડ EPF સબ્સ્ક્રાઇબર્સ પર પડી રહી છે.
EPFO પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં
નોંધનીય છે કે, EPFO એક પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. ઇકોનોમિક્સ ટાઇમ્સના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવમાં પેન્શરો માટે વય મર્યાદા 58 થી વધારીને 60 વર્ષ સુધી કરવામાં આવી શકે છે.
58 વર્ષથી 60 વર્ષ સુધી કરાઇ શકે વય મર્યાદા
જેનો અર્થ એ થયો કે, પીએફ ખાતાધારકની ઇચ્છા છે તો કે તે 58 વર્ષની ઉંમરમાં પેન્શન લેવાનું નક્કી કરે છે 60 વર્ષે. EPFO નું માનવું છે કે, સરકારના આ નિર્ણયથી પેન્શન ફંડમાં 30000 કરોડ રૂપિયાની ખાધમાં ઘટાડો થશે.
3 લાખ કરોડ રૂપિયાનું છે પેન્શન ફંડ
ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર, આ પ્રસ્તાવ પ્રથમ વખત 2015 માં વધારવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે સરકારે તેનો સ્વીકાર કર્યો નહોંતો. આપને જણાવી દઇએ કે, EPS-95 સ્કીમ હેઠળ આશરે 60 લાખ પેન્શર છે અને જેમાં 3 લાખ કરોડ રૂપિયા પેન્શન ફંડ છે.