ગાયનેક સોસાયટીના અભ્યાસ મુજબ કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાઓમાં મૃત્યુદર, મિસ્કેરેજ અને પ્રી-મેચ્યોર ડિલિવરીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે
કોરોનાગ્રસ્ત પ્રગ્નેન્ટ મહિલાઓમાં મૃત્યુદર વધ્યો
ગાયનેક સોસાયટીના અભ્યાસમાં આવ્યું સામે
4 હજાર કોરોનાગ્રસ્ત મહિલા પર અભ્યાસ
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે, બીજી લહેરમાં બાદ હવે કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે એક ચૌકાવનારનો સર્વે બહાર આવ્યો છે. જેમાં કોરોનાગ્રસ્ત પ્રેગ્નેન્ટ મહિલાઓમાં મુત્યુદર વધ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાગ્રસ્ત પ્રગ્નેન્ટ મહિલાઓમાં મૃત્યુદર વધ્યો
પ્રેગ્નેન્ટ મહિલાઓ પર કોરોનાની કેવી અસર જેને લઈ દેશભરમાંથી વિવિધ રાજ્યોની કુલ 60 હોસ્પિટલની 4 હજાર મહિલા પર સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કોરોનામાં પ્રેગ્નેન્ટ મહિલાઓમાં મુત્યુદરનું પ્રમાણ 7થી8 ગણું વધ્યું હોવાનું ગાયનેક સોસાયટીના અભ્યાસમાં સામે આવ્યું છે.
ગાયનેક સોસાયટીના અભ્યાસમાં આવ્યું સામે
ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાએ કોરોના દરમિયાન પ્રેગ્નેન્ટ મહિલાઓ પર કોરોનાની કેવી અસર રહી તે અંગે એક અભ્યાસ કર્યો હતો.આ સ્ટડીના તારણો ઘણા ચિંતાજનક રહ્યાં છે.પ્રેગ્નેન્ટ મહિલાઓમાં કોરોના થવાથી, તેની સીધી અસર અંગે કરેલા અભ્યાસમાં માતાનો મૃત્યુદર વધ્યો હોવાનું સામે આવ્યું છે.
60 હોસ્પિટલની 4 હજાર કોરોનાગ્રસ્ત મહિલા પર અભ્યાસ
આ સાથે જ મિસકેરેજ અને પ્રિ-મેચ્યોર ડિલિવરીના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશભરમાંથી વિવિધ રાજ્યોની કુલ 60 હોસ્પિટલની 4 હજાર જેટલી કોરોનાગ્રસ્ત પ્રસુતા ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો. FOGSIના પૂર્વ પ્રમુખ અલ્પેશ ગાંધીએ જણાવ્યું કે સામાન્ય દિવસોમાં પ્રસુતા મહિલાઓમાં માતા મૃત્યુદર જોવામાં આવે તો, કોરોના પહેલા પ્રેગ્નેન્ટ મહિલાઓમાં જે મૃત્યુદર અથવા સિવિયારીટી રેટ હતો તેના કરતાં કોરોનામાં આ દર 7-8 ગણો વધારે જોવા મળ્યો છે.
મિસકેરેજ અને પ્રિ-મેચ્યોર ડિલિવરીના કિસ્સામાં પણ વધારો
મહત્વનું છે કે જે 4000 મહિલાઓ પર અભ્યાસ કર્યો છે તે મુજબ અગાઉ 1000 ડિલિવરીના કિસ્સામાં 1-2 માતાઓ મૃત્યુ પામતી તેની સામે કોવિડ દરમિયાન આ રેશિયો વધ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં પોઝિટિવ મહિલામાંથી 10 મહિલાના કોરોનાથી મોત થયા હોવાનું નોંધાયું છે સુરત સ્મિમેર કોલેજના ગાયનેક વિભાગના હેડ ડો. અશ્વિન વાછાણીએ જણાવ્યું કે સ્મિમેર હોસ્પિટલમાં 190 જેટલી પ્રસુતા મહિલાઓમાં પોઝિટિવ કિસ્સા આવ્યા જેમાંથી 20%ની પ્રિ-મેચ્યોર ડિલિવરી થઇ હતી.
પ્રિમેચ્યોર ડિલીવરીના કિસ્સા 19-20 ટકા સુધી પહોંચ્યા
અભ્યાસના ડેટા પ્રમાણે કોરોના પહેલા દેશમાં પ્રિમેચ્યોર ડિલીવરી 13% હતી, જે કોરોના કાળમાં 19-20% સુધી પહોંચી ગઈ હતી. જોકે પ્રેગ્નન્ટ મહિલાઓએ કોરોનાથી બચવા માટે અફવાથી દૂર રહીને વહેલી તકે રસી લેવાની જરૂર છે તેવું નિષ્ણાતો દ્વારા જણાવવાં આવી રહ્યું છે.