ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ માટે તમે સાંભળ્યું જ હશે. 16મી સદીના જાણીતા ભવિષ્યક્તા નાસ્ત્રેદસ ફ્રાંસથી છે. આજથી 400 વર્ષ પહેલા નાસ્ત્રેદાસે આવનારી 20 શતાબ્દીઓ માટે જે ભવિષ્યવાણીઓ કરી હતી એમાંથી મોટાભાગની સાચી પડી છે.
એડોલ્ફ હિટલરનો ઉદય પરમાણુ બોમ્બ દ્વિતીય વિશ્વ યુદ્ધ ડાયનાનું મોત અને 9/11 જેવી ઘણી ઘટનાઓની સટિક ભવિષ્યવાણી એમને કરી હતી.
હવે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2018 હવે બસ થોડાક દિનસોનું જ મહેમાન છે. અને નવું વર્ષ 2019 આવવાનું છે. નવા વર્ષના સ્વાગત માટે બધો જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. ચારે બાજુ ખુશીનો માહોલ છે. એવામાં જો 2019 માટે નાસ્ત્રેદમસની કરેલી ભવિષ્યવાણીઓ માટે સાંભળશો તો તમને બિલકુલ ગમશે નહીં.
નાસ્ત્રેદાસ પ્રમાણે વર્ષ 2019 કોઇના પણ માટે સારું રહેશે નહીં. આ વર્ષે લોકોને ખૂબજ કષ્ટનો સામનો કરવો પડશે. પોતાની પુસ્તક Les Prophetiesમાં નાસ્ત્રેદમસે કહ્યું કે વર્ષ 2019માં જે સમસ્યાઓની શરૂઆત થશે એ વર્ષ 2046 સુધી બનેલી રહેશે. નાસ્ત્રેદમસે એવું પણ કહી દીધું કે વર્ષ 2019માં વિશ્વયુદ્ધ 3 ની શરૂઆત થશે જે આશરે 30 વર્ષ સુધી ચાલશે.
આ ઉપરાંત એવું પણ લખ્યું છે કે આ વર્ષે યૂરોપમાં જોરદાર પૂર આવશે. એક વિનાશકારી ભૂકંપ પણ આવશે જે અમેરિકાના કેલિફોર્નિયાથી કેનેડાની વચ્ચે ઊભરાઇ રહ્યું છે. આ ઉપરાંત વિશ્વના મધ્ય પૂર્વ દેશોમાં આતંકવાદ અને ધાર્મિક ઉગ્રવાદ પણ ખૂબ જ ફાસ્ટ વધશે.