રાજ્યમાં સૂર્યનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં યલો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
રાજ્યમાં સૂર્યનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં યલો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
મળતી માહિતી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ તથા અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમ પવન ફૂંકાશે. જેને લઈને આગામી દિવસોમાં રાજ્યની પ્રજાએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે.
નલિયામાં 34 , કંડલા પોર્ટમાં 35.અને કંડલા એરપોર્ટ ખાતે 36 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફાર વગર તાપમાન યથાવત્ રહેવાની આગાહી વ્યક્ત કરી છે.
વિવિધ શહેરોમાં યલો એલર્ટ
રાજ્યભરમાં દિવસે દિવસે ગરમીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં પારો વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરામાં હીટવેવની સ્થિતિ બની રહેશે. કાળઝાળ ગરમીને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે જ પાલિકાએ લોકોને કામ વગર ઘરની બહાર ન નિકળવાની સલાહ પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વર્ષ 2009થી માર્ચ 2018 દરમિયાન માર્ચ મહિનાની 3થી 23મી માર્ચ દરમિયાન ગરમીનો પારો 38.3થી 43.0 ડિગ્રી નોંધાયો હતો. પરંતુ, આ વર્ષે 24 માર્ચ સુધીમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી પાર ગયો નથી.