જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દૈનિક જીવનમાં એવા કેટલાય સંકેતો મળવા લાગે છે કે જેના થકી સમજી શકાય છે કે આવનારા સમયમાં કોઇ ઘટના બનવાની છે કે નહીં. જેમ કે ગરોળીનું શરીર પર પડવું શુભ-અશુભ પ્રભાવ વિશે જાણકારી આપનારૂ છે.
પુરૂષના ડાબા અને સ્ત્રીના જમણા અંગ પર ગરોળીનું પડવું અશુભ માનવામાં આવે છે. જ્યારે પણ ગરોળી શરીરના કોઇપણ હિસ્સા પર પડે ત્યારે તે ભાગને પાણીથી ધોઇ લો અથવા તાત્કાલિક નાહી લેવું જોઇએ. જો કે પુરૂષના જમણા અંગો અને સ્ત્રીના ડાબા અંગ પર ગરોળીનું પડવું શુભ માનવામાં આવે છે. જ્યારે પણ ગરોળી શરીના કોઇપણ અંગને અડકે છે ત્યારે તે ભાગમાં તે ઝેર છોડીને જાય છે.
ઘણા પ્રસંગો આપણા જીવનમાં અને ઘરમાં બનતા હોય છે કે જેમાં કોઇને કોઇ વ્યક્તિના શરીરના હિસ્સા પર ગરોળી પડવાના બનાવો બનતા હોય છે ગરોળીનું આ રીતે પડવું કોઇ સંકેત આપનારૂ છે.
તો આ સંકેતો પણ જાણી લેવા જરૂરી છે. આ સાથે ગરોળીનું અચાનક શરીર પર પડવાથી તે શરીરના હિસ્સા પર ઝેર છોડી જાય છે એટલા માટે તાત્કાલિક અસરથી તે ભાગને ધોઇ નાંખો અથવા સ્નાન કરી લેવું જોઇએ.
ગરોળી પડવાના આ છે શુભ-અશુભ સંકેતો
- માથા પર ગરોળી પડે તો ધન મળવાની સંભાવના વધી જાય છે.
- વાળ પર ગરોળી પડે તો મોત આવવાની સંભાવના રહે છે.
-જમણા કાન પર ગરોળી પડે ત્યારે ઘરેણા પ્રાપ્તિના યોગ રચાય છે તો ડાબા કાન પર ગરોળી પડે તો આયુષ્યમાં વધારો થાય છે.
-આ સાથે જ ગરોળીનું નાક પર પડવું ભાગ્યોદયનું સૂચન કરે છે.
-ડાબા ગાલ પર ગરોળી પડે તો નજીકના ભવિષ્યમાં જ જૂના મિત્રો સાથે મુલાકાત થાય તેવી સંભાવના વધે છે.
-જમણા ગાલ પર ગરોળી પડે તો તે વ્યક્તિ રોગમુક્ત થશે અને તેનું આયુષ્ય પણ વધશે તેવો સંકેત છે.
-ગરદન પર ગરોળી પડે તો તે યશ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે.
-દાઢી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારી સાથે ટૂંક સમયમાં કોઈ ભયાનક ઘટના ઘટવાની છે.
-જો વ્યક્તિની મૂછ પર ગરોળી પડે તો તેના માન-સન્માનમાં વધારો થાય છે.
-વ્યક્તિની ભ્રમરો પર ગરોળી પડે છે તેને ધનનું નુકસાન થવાની શક્યતાઓ વધે છે.
-ડાબી આંખ પર ગરોળી પડે તો કોઈ ને કોઈ પ્રકારનું નુકસાન થાય છે.
-જમણી આંખ પર ગરોળી પડવાનો અર્થ એ છે કે નજીકના સમયમાં તમારી મનસંદ વ્યક્તિ સાથે મિલન થશે.
-પીઠ પર જમણી બાજુ ગરોળી પડે તો સુખની પ્રાપ્તિ થાય છે.
-જો પીઠની ડાબી બાજુએ ગરોળી પડે તો તે વ્યક્તિને કોઇને કોઇ રોગ થવાની શક્યતા રહે છે.
-જમણા ખભા પર ગરોળી પડે તો મુશ્કેલ ભરેલ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.