કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે, તેમ છતાં છૂટછાટ અપાઇ છે. ટ્રેનની સાથે ફ્લાઇટ પણ શરૂ કરી દેવાઇ છે. 25 મેથી દેશમાં ઉડ્ડયન ફરી એકવાર શરૂ થયું હતું. જેથી ફસાયેલા લોકો પોતાના શહેર પાછા જઇ શકે.
કોરોના વાઇરસે આપણું જીવન બદલી નાંખ્યું છે આ વાતને લઇને કોઇ શંકા નથી. અત્યારે દરેક વ્યક્તિ માસ્ક પહેરી રહી છે અને 2 ગજનું અંતર રાખી રહી છે. સાથે જ જરૂરી હોય ત્યાં પીપીઇ કીટ પણ સાથે રાખી રહી છે.
ફ્લાઇટમાં અપાયેલી છૂટછાટમાં એરહોસ્ટેસ અને ક્રૂને પીપીઇ કીટ પહેરવી ફરજીયાત છે. ફ્લાઇટમાં ખાવાનું નહી મળે અને એક સીટ છોડીને બેસવાની પરવાનગી આપવામાં આવી છે. કોરોનાના લીધે દરેકના ટ્રાવેલ પ્લાન રદ્દ થઇ ગયા છે.
શું સાવધાની રાખવી જોઇએ?
- પોતાના સામાનને સેનેટાઇઝ કરો, આ એક એવી ચીજ છે જેના પર વાઇરસ આરામથી ચોંટી શકે છે.
- સેનેટાઇઝરનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. દરેક એરલાઇન પ્લેનને વ્યવસ્થિત સાફ કરે છે તેમ છતાં સેનેટાઇઝરનો ઉપયોગ કરવો આવશ્યક છે.
- પોતાની સીટ પર બેસતા પહેલા પોતાના શરીરને પણ સારી રીતે સેનેટાઇઝ કરી લેવું જોઇએ.
- દરવાજા, નોબ્સ અને ટ્રે ટેબલને અડકવું નહી.
- ફ્લાઇટમાં યાત્રા કરી રહેલા લોકોને વૉશરૂમનો ઉપયોગ ના કરવાની સલાહ આપી છે.
- જો તમારી પાસે વિકલ્પ છે ત વિન્ડો સીટ જ સિલેક્ટ કરો. એક રિસર્ચ પ્રમાણે જે યાત્રી વિન્ડો સીટ પર હોય છે તેને સંક્રમણ થવાના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે.
- કોઇપણ કારણસર માસ્ક ચહેરાથી ન હટાવવું જોઇએ.
આ પ્રકારે તમે જો કાળજી રાખશો તો ફ્લાઇટમાં પણ સુરક્ષિત પ્રવાસ કરી શકશો.