વરસાદ ઘણા લોકોની ફેવરિટ સિઝન હોય છે અને તેઓ તેની મજા માણતા હોય છે. પરંતુ સાવધાની નહીં રાખો તો બિમાર પણ પડી શકો છો.
વરસાદમાં પલળ્યાં બાદ સાવધાની રાખો
નહીંતર તમે ઘણી બિમારીઓના શિકાર થઇ જશો
વરસાદમાં પલળ્યાં બાદ સૌથી પહેલો કરો આ વસ્તુ
વરસાદમાં પલળ્યાં બાદ કરો સૌથી પહેલા આ કામ
વરસાદમાં પલળવુ કોને સારું લાગતુ નથી. ઠંડા-ઠંડા પાણીના ટીપા જ્યારે શરીર પર પડે છે તો મનને ઘણી શાંતિ આપે છે, પરંતુ વરસાદ પોતાની સાથે ઘણી પરેશાનીઓ પણ લઇને આવે છે, જેનાથી બચીને રહેવુ ખૂબ જરૂરી છે, નહીંતર તમે ઘણી બિમારીઓના શિકાર થઇ જશો. કેટલાંક લોકો આ વાતને સમજે છે, પરંતુ ઓફિસ અથવા કોઈ જરૂરી કામથી બહાર જઇને તેમને મજબૂરીપૂર્વક વરસાદમાં પલળવુ પડે છે, જેનાથી શરદી, ખાંસી, તાવ અથવા સંક્રમણનુ જોખમ ઉભુ થાય છે, પરંતુ પલળ્યાં બાદ કેટલીક વાતનો ખ્યાલ રાખશો તો આ જોખમ ઘણી હદ સુધી ઓછુ થશે.
વરસાદમાં પલળ્યાં બાદ શું કરશો?
જ્યારે તમે વરસાદમાં પલળી જાઓ તો ઘરે આવ્યાં બાદ સૌથી પહેલા તમે ભીના કપડા ઉતારી દો અને માથાને સાફ કપડેથી લુસી નાખો નહીંતર તમને ઠંડી લાગશે અથવા પછી તાવ અને નિમોનિયાના શિકાર થઇ શકો છો. ત્યારબાદ શરીર પર ઑઈલ લગાવો. જેનાથી સ્કીન ડ્રાય નહીં થાય.
હવે ફટાફટ પાણીથી ન્હાઈ લો. આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે ન્હાવા માટે વધુ ગરમ અથવા ઠંડા પાણીનો ઉપયોગ ન કરશો. પાણીને સામાન્ય તાપમાન પર જ રાખો. પછી શરીરને સારી રીતે લુસી નાખો અને પછી સ્કિન પર મૉઈશ્ચરાઈઝર લગાવો. આમ કરવાથી શરીરમાં નરમાઈ આવશે અને સ્કિન સારી રહેશે.
જો તમે પલળ્યાં બાદ ઑફિસ અથવા કોઈ એવી જગ્યાએ પહોંચ્યા છો અથવા સ્નાન કરવુ શક્ય નથી તો હંમેશા સાથે એન્ટી બેક્ટેરિયલ ક્રીમ રાખો અને સ્કિન પર લગાવો. એવામાં એલર્જીની શક્યતા ઓછી રહે છે કારણકે તેનાથી બેકટેરિયા અને કીટાણુ ખત્મ થાય છે.
વરસાદમાં પલળ્યાં બાદ જો તમે ઘર અથવા ઓફિસમાં જાઓ તો પછી ગરમ ઉકાળો પીવો. જેનાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે અને સંક્રમણનુ જોખમ ઘણુ ઓછુ થાય છે. આ શરદી, ખાંસીથી બચવાની અસરકારક રીત છે.