દિલ્હી પોલીસે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીની હિંસા પૂર્વ આયોજિત હતી.
દિલ્હી પોલીસ આપ્યું મોટું નિવેદન
26 જાન્યુઆરીની હિંસા પૂર્વઆયોજિત હતી : દિલ્હી પોલીસ
ખેડૂત સંગઠનોને પહેલાથી જ આ વિશે ખબર હતી : દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે આજે એક નિવેદનમાં જણાવ્યું હતુંકે પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પૂર્વનિયોજિત હતી, અને 26 જાન્યુઆરીના રોજ અમુક લોકો તેમના અમુક હિતો માટે હિંસા કરી શકે તે અંગેની ખેડૂતોને અગાઉથી જાણકારી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર પ્રવીર રંજને કહ્યું કે 308 ટ્વિટર હેન્ડલ્સ કે જેને રડાર પર મૂકવામાં આવ્યા હતા તેનાથી જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો પોતાના ફાયદા માટે 26 જાન્યુઆરીએ હિંસા કરી શકે છે. આ અંગે ખેડૂત સંગઠનોને પણ જાણ કરવામાં આવી હતી.
#WATCH LIVE: Delhi Police addresses the media over the ongoing investigation in the 26th Jan violence https://t.co/Nf72G4035i
વધુમાં દિલ્હી પોલીસ જણાવ્યું હતું કે જો આ રીતે ખેડૂત સંગઠનોને પણ અગાઉથી જાણ હતી, તો એમ કહેવું કે આ વાત તેમની માહિતી બહાર બની છે, તેમ કહેવું સત્યથી વેગળું હશે.
26 જાન્યુઆરીની આયોજિત હિંસા
મહત્વનું છે કે 26 જાન્યુઆરીના રોજ, ખેડૂત સંગઠનો દિલ્હીના આઉટર રિંગ રોડ પર ખેડૂતો ટ્રેક્ટર કાઢવા મક્કમ હતા. દિલ્હી પોલીસે અનેક તબક્કાની વાતચીત બાદ સિંઘુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર અને ટિકરી બોર્ડરથી દિલ્હી બોર્ડર સુધીના વિશેષ માર્ગ માટેની અનુમતિ આપી હતી અને આ સંદર્ભે ખેડૂત સંગઠનોએ એનઓસી પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ 26 મી જાન્યુઆરીએ, જે રીતે આઇટીઓ અને લાલ કિલ્લા પર ખેડૂતો દ્વારા ચઢાઈ કરવામાં આવી, તેનાથી બધા જ ચોંકી ગયા હતા.
મહત્વનું છે કે આ હિંસા પછી એનઓસી પર સહી કરનારા ખેડૂત સંગઠનોના નેતાઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. એ વાત જુદી છે કે ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તેઓને દિલ્હી પોલીસ તરફથી 26 મી જાન્યુઆરીએ કોઈ હિંસા થશે તેવી કોઈ જ જાણકારી આપવામાં આવી નહોતી.
ગ્રેટા થનબર્ગ પર દિલ્હી પોલીસનું નિવેદન
ગ્રેટા થેનબર્ગ વિશે, દિલ્હી પોલીસ કહે છે કે અમે એફઆઈઆરમાં કોઈનું નામ લીધું નથી, તે ફક્ત ટૂલકીટના નિર્માતાઓની વિરુદ્ધ છે જે તપાસનો વિષય છે અને દિલ્હી પોલીસ આ કેસની તપાસ કરશે. આઇપીસીની કલમ ૧૨4 A હેઠળ ભારત સરકાર સામે અસંતોષ ફેલાવવા તેમજ રાજદ્રોહ કરવા, ગુનાઇત કાવતરાના ભાગોને સામાજિક / સાંસ્કૃતિક / ધાર્મિક આધારો પર વિવિધ સમુદાયોમાં નફરતને પ્રોત્સાહન આપવા જેવી ધારા જોડી દેવામાં આવી છે.