વરસાદના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં તંત્ર દ્વારા હવે છેક પ્રિ-મોનસૂન કામગીરી હાથ ધરાતા લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.
પૂર ટાણે પાર બાંધતું AMC
પ્રિ-મોનસૂન કામગીરીથી પ્રજા ત્રસ્ત
ચોમાસાના 15 દિ' પહેલા યાદ આવ્યું કામ!
ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રિ-મોનસૂન કામગીરી યાદ આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ ખોદીને મુકી દીધા હોવાથી શહેરીજનો પરેશાની ભોગવી રહ્યા છે. છતાં તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જેથી લોકોમાં AMCની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલકિા દ્વારા વર્ષોથી ચોમાસા પહેલા પ્રિ-મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં કામગીરીના નામે કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવતો હોવા છતાં વરસાદ AMCની કામગીરીની પોલ ખોલી નાખે છે. વરસાદના આગમનને હવે માત્ર 15 દિવસ જેટલો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે હવે અંત ટાણે ફરી એકવાર AMC ને પ્રિ-મોનસૂન કામગીરી યાદ આવી છે અને આ કામગીરીના કારણે પ્રજા ત્રસ્ત છે.
ઠેર-ઠેર ખોદકામને પગલે ટ્રાફકિ જામની સમસ્યા
શહેરનો પૂર્વ વિસ્તાર જે દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. આ જ વિસ્તારના નિકોલ અને વિરાટનગરમાં હાલ AMCએ ઠેર ઠેર ખોદકામ કર્યું છે. રોડ પર થયેલા ખોદકામથી પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, ખોદકામને પગલે ટ્રાફકિ જામ થાય છે. અને સ્થાનકિ દુકાનદારોનો ધંધો ઠપ થઈ ગયો છે. સ્થાનિકોના મતે કામગીરી ઝડપથી પૂર્ણ નહીં થાય તો ચોમાસામાં અહીં ભૂવા પડશે અને લોકોને હાડમારીનો સામનો પણ કરવો પડશે.
ચોમાસું માથે છે ત્યારે તંત્રને કામગીરીનું ઘેલું લાગ્યું : વિપક્ષ નેતા શહેજાદ ખાને
રોડ પર મસમોટો ખાડા ખોદ્યા બાદ AMC ઢીલી કામગીરી કરતું હોવાની લોકોમાંથી રાવ ઉઠી રહી છે. વધુમાં મેયર કિરીટ પરમારે બચાવ કરતા જણાવ્યુ હતું કે, હડતાળના કારણે કામગીરીમાં વિલંબ થયો છે. જોકો તે ઝડપથી પૂર્ણ કરી લેવાશે. બીજી તરફ મહાનગરપાલકિાની કામગીરી પર વિપક્ષ નેતા શહેજાદ ખાને પણ આક્ષેપ કર્યો છે. શહેઝાદ ખાનના મતે અધકિારીઓ અત્યાર સુધી સુઈ રહ્યા હતા અને ચોમાસું નજીક છે અને હવે કામગીરી યાદ આવી હોય તેવા આક્ષેપો કર્યો છે.