બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : સિલિન્ડરના ફૂરચે-ફૂરચાં, ક્યાંક ચૂલા તૂટ્યાં તો ક્યાંય વાસણો, મહાકુંભમાં આગનો ખૌફનાક મંજર
Last Updated: 07:05 PM, 19 January 2025
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આગ લાગતાં ઘડીક ભર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સેક્ટર-19માં અખિલ ભારતીય ધર્મ સંઘ ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં રાંધણ ગેસના બાટલમાં બ્લાસ્ટ બાદ આગ બીજા તંબૂઓમાં ફેલાઈ હતી. આગમાં સિલિન્ડરના ફૂરચે-ફૂરેચાં ઉડી ગયા હતા અને ચૂલા અને વાસણો પણ તૂટેલા જોવા મળ્યાં હતા.
ADVERTISEMENT
The fire incident at MahaKumbh shocked everyone. Due to the promptness of the administration, no one died. The incident should be thoroughly investigated considering there may be Jihadi conspiracy behind it? pic.twitter.com/ewwlOPxiPD
— Baba Banaras™ (@RealBababanaras) January 19, 2025
આઠથી નવ સિલિન્ડરમાં બ્લાસ્ટ
ADVERTISEMENT
પહેલા સિલિન્ડરમાં આગ લાગી અને પછી તે ફેલાઈ ગઈ. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ અલગ-અલગ ટેન્ટમાં રાખવામાં આવેલા સિલિન્ડરોમાં એક પછી એક ધડાકા થયા હતા. લગભગ આઠથી નવ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાની માહિતી સામે આવી છે. આગમાં 15 થી 18 જેટલા ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા.
प्रयागराज महाकुंभ क्षेत्र में भीषण आग।#MahaKumbh2025 #fire #mahakumbh #MahaKumbh #fire_in_mahakumbh pic.twitter.com/W39O6WDXZ3
— Prateek pandey (@Prateek_pandeyy) January 19, 2025
પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાત કરી
પ્રધાનમંત્રી મોદીએ પણ આ દુખદ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરીને જાણકારી મેળવી હતી અને જરુરી નિર્દેશો આપ્યાં હતા.
संवेदनशील मुख्यमंत्री महंत योगी आदित्यनाथ महराज जी की यह सबसे बड़ी मिसाल है कि महाकुंभ मेला क्षेत्र में जहां आग लगी थी। उसका संज्ञान लेने स्वयं मुख्यमंत्री जी गये।#MahaKumbh2025 #MahakumbhFire pic.twitter.com/sgH7noafN8
— Mahant Adityanath 2.0🦁 (@MahantYogiG) January 19, 2025
આગને કાબુમાં લેવાઈ
યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લાગેલી વિકરાળ આગ કાબુમાં આવી ગઈ છે. ફાયર ફાઈટર્સ દ્વારા તાબડતોબ આગને કાબુમાં લઈ લેવાઈ હતી. સદનસીબે, જાનહાનીના કોઈ સમાચાર નથી. સેક્ટર 19માં વિકરાળ આગ લાગતાં સેંકડો તંબૂઓ સળગીને ખાખ થઈ ગયાં હતા.
BREAKING NEWS 🚨 The fire at Mahakumbh has been brought under control.
— Times Algebra (@TimesAlgebraIND) January 19, 2025
Cylinder Blast at a tent in Maha Kumbh had sparked Massive Fire.
CM Yogi Adityanath immediately reached the spot.
Yogi Adityanath administration is ensuring immediate relief & rescue operations. No… pic.twitter.com/tSpK07W0gu
કેવી રીતે લાગી આગ
હકીકતમાં સેક્ટર 19ના બનાવતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેને કારણે આગ લાગી હતી જે બાજુના તંબૂઓમાં ફેલાઈ હતી અને થોડી વારમાં વિકરાળ રુપ ધારણ કર્યું હતું.
શું નુકશાન થયું
ગોરખપુરના અખિલ ભારતીય ધાર્મિક સંઘ ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. કેમ્પમાં રાખેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. આ ઉપરાંત સેંકડો તંબૂઓ પણ સળગીને ખાખ થઈ ગયાં છે. આ આગ એટલી ભીષણ છે કે આખા વિસ્તારમાં ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં જોવા મળ્યાં હતા.
A fire broke out after two gas cylinders exploded inside a tent at the #Mahakumbh. The fire spread to 18 tents, burning them to the ground.
— NDTV Profit (@NDTVProfitIndia) January 19, 2025
Read: https://t.co/6Du09UrJOs pic.twitter.com/YSEdR1XftD
શું બોલ્યાં ADG
પ્રયાગરાજના ADG ભાનુ ભાસ્કરે કહ્યું કે મહા કુંભ મેળાના સેક્ટર 19માં બે-ત્રણ સિલિન્ડર ફાટ્યા, જેના કારણે શિબિરોમાં ભારે આગ લાગી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને જેવી આગની ખબર મળી કે તાબડતોબ દોડી આવ્યાં હતા.
250 તંબૂઓ સળગીને ખાખ
મહાકુંભ મેળા વિસ્તારમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે આગમાં લગભગ 250 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ ખૂબ જ ઊંચી હતી. ખૂબ મોટા વિસ્તારમાં આગ લાગી હતી.
26 ફેબ્રુઆરી સુધી ચાલશે મહાકુંભ
મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. 18 જાન્યુઆરી સુધી મહાકુંભ દરમિયાન 7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ ત્રિવેણીમાં ડૂબકી લગાવી છે. રવિવારે 46.95 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.