સુસાઈડ નોટમાં પોતે આત્મહત્યા કરી રહ્યાં હોવાનો સ્પસ્ટ ઉલ્લેખ
આશ્રમ અંગે વસિયતનામું પણ લખ્યું, શિષ્યથી પરેશાન હોવાનો પણ આરોપ
યુપી પોલીસના જણાવ્યાનુસાર નરેન્દ્ર ગિરીના કમરામાંથી 8 પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. સુસાઈડ નોટમાં નરેન્દ્ર ગિરીએ લખ્યું છે કે હું મારી મરજીથી આત્મહત્યા કરી રહ્યો છું. તેમણે સ્વીકાર્યું કે તેઓ ઘણા કારણોથી પરેશાન છે તેથી જીવન સમાપ્ત કરી રહ્યાં છે. તેમણે લખ્યું કે તેઓ હમેંશા ગર્વ સાથે જીવશે.
વસીયતનામું
મહંત ગિરીએ સુસાઈડ નોટમાં આશ્રમ અંગે પણ લખ્યું છે કે આશ્રમનું શું કરવાનું છે, તેમણે વસિયત નામું પણ લખ્યું છે. વસિયતનામા તેમણે લખ્યું કે કોનું ધ્યાન રાખવાનું છે, કોને આશ્રમ સોંપવાનો છે. સુસાઈડ નોટમાં તેમણે આત્મહત્યા કરી રહ્યાં હોવાનું સ્પસ્ટ લખ્યું છે.
પ્રયાગરાજના અલ્લાપુર બાઘંબરી મઠની જે રુમમાંથી નરેન્દ્ર ગિરીની લાશ ફાંસી દીધેલી હાલતમાં મળી છે ત્યાંથી પોલીસને 8 પાનાની એક સુસાઈડ નોટ મળી આવતા રહસ્ય વધારે ઘુંટાયું છે. પોલીસના જણાવ્યાનુસાર સુસાઈડ નોટમાં 2-3 નામોનો ઉલ્લેખ છે. નરેન્દ્ર ગિરીએ શિષ્ય આનંદગિરી પર હેરાન પરેશાન કરવાનો આરોપ મૂ્ક્યો છે.
ફાંસી પર લટકતી હાલતમાં મળી આવ્યો મૃતદેહ
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિનું સોમવારે નિધન થયું હતું. નરેન્દ્ર ગિરિનો મૃતદેહ પ્રયાગરાજમાં તેમના બાઘંબરી મઠમાં ફાંસી પર લટકતો મળી આવ્યો હતો. તેમના ઓરડાનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડી ને પ્રવેશ કર્યો ત્યારે તેનો મૃતદેહ ફાંદથી લટકી રહ્યો હતો.
હાલમાં ફોરેન્સિક ટીમ અને ભારે પોલીસ દળ હાજર અખાડામાં હાજર છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મહંત નરેન્દ્ર ગિરિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રપતિ નરેન્દ્ર ગિરિજીનું નિધન એક અપૂરતી ખોટ છે. ભગવાન સદ્ગુણી આત્માને તેમના શ્રી તબક્કામાં અને તેમના અનુયાયીઓને આ પીડા સહન કરવાની શક્તિ આપે.
પ્રધાનમંત્રી મોદીએ દુખની લાગણી વ્યક્ત કરી
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે અખાડા પરિષદના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગિરીજીનું નિધન અત્યંત દુખદ છે. આધ્યાત્મિક પરંપરાઓ માટે સમર્પિત હોવા છતાં, તેમણે સંત સમાજની ઘણી ધારાઓને એકસાથે જોડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. પ્રભુ તેમને તમારા ચરણોમાં સ્થાન આપે. યુપી સીએમ યોગી આદિત્યનાથ, પૂર્વ સીએમ અખિલેશ સહિતના દિગ્ગજોએ તેમના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી હતી.