બહુજન સમાજ પાર્ટી (BSP)નાં સાંસદ (MP) અતુલ રાયને અલ્હાબાદ હાઈકોર્ટેનાં પેરોલ મળી ગયાં છે. હાઈકોર્ટે બે દિવસનાં પેરોલની મંજૂરી આપી છે. આ પેરોલના બે દિવસ દરમિયાન અતુલ રાય સાંસદ તરીકે શપથ લેશે.
અતુલ રાયને અલ્હાબાદ હાઈકોર્ટે પેરોલ આપ્યા
રેપનાં આરોપમાં જેલમાં હતાં અતુલ રાય
કોર્ટે જામીન અરજી ફગાવી
પહેલા જામીન માંગ્યા જે કોર્ટે ફગાવ્યા હતા
રેપનાં આરોપી બહુજન સમાજ પાર્ટી (BSP)નાં સાંસદ અતુલ રાય ઈલ્હાબાદ હાઈકોર્ટ પાસેથી પેરોલ મળી ગઈ છે. હાઈકોર્ટે બે દિવસનાં પેરોલ મંજૂર કર્યાં છે. સાંસદ સભ્ય પદનાં શપથ લેવા માટે કોર્ટે પેરોલ મંજૂર કર્યાં છે. અતુલે આ પહેલા જામીન અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધા હતા. એ બાદ તેમણે શપથ લેવા માટે પેરોલ માટે અરજી કરી હતી.
તેઓ વિદ્યાર્થીનાં બળાત્કારનાં ગુનામાં જેલમાં છે
અતુલ રાય 31 જાન્યુઆરીએ શપથ લેશે. તેના બીજા દિવસે તેમને ફરી જેલમાં જવું પડશે. શપથ ન લીધા હોવાનાં કારણે અતુલ રાયના સભ્યપદ પર ખતરો છે. લોકસભા સચિવાલયની ચિઠ્ઠી પર અતુલ રાયને રાહત મળી છે. બસપા સાંસદ અતુલ રાય વિદ્યાર્થીનાં બળાત્કારનાં આરોપમાં જેલમાં બંધ છે. તે ઉત્તરપ્રદેશનાં મઉ જિલ્લાનાં ધોસી લોકસભાની સીટ પરથી ચૂંટણી જીત્યા છે જોકે તે જેલમાં હોવાનાં કારણે તેમણે સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા નહોતા.
કેસ શું છે
અતુલ રાય પર તેની સહપાઠીની સાથે દુષ્કર્મનો આરોપ છે. વારાણસીનાં લંકામાં 1 મે 2019માં અતુલ રાયની વિરુદ્ધ દુષ્કર્મ કરવાના આરોપમાં તેમની સામે ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. તે વર્ષ 2019માં થયેલી લોકસભાની ચૂંટણીમાં જીત્યા હતાં પરંતુ તેને જામીન ન મળવાના કારણે તે શપથ નહોતા લઈ શક્યાં. ઉલ્લેખનીય છે કે તેણે સંસદ સભ્ય તરીકે શપથ લેવા માટે પેરોલ અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી છે.