બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: મહાકુંભ 2025માં રાખ લઈ ઝૂમ્યા અઘોરીઓ, ઉજવી 'મસાન હોળી', મહત્વ શિવ સાથે જોડાયેલું

પ્રયાગરાજ / VIDEO: મહાકુંભ 2025માં રાખ લઈ ઝૂમ્યા અઘોરીઓ, ઉજવી 'મસાન હોળી', મહત્વ શિવ સાથે જોડાયેલું

Last Updated: 01:42 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રયાગરાજમાં અઘોરીઓએ હાથમાં રાખ લઈને મસાન હોળી રમી, આ હોળી મહાકુંભ મેળાની ઉંધી ગણતરીનો સંકેત છે. એવું માનવામાં આવે છે કે મસાન હોળીની શરૂઆત ભગવાન શિવે કરી હતી. ચાલો જાણીએ કાશીની મસાન હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે.

પ્રયાગરાજમાં મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે પ્રયાગરાજમાં એક શોભાયાત્રા દરમિયાન અઘોરીઓએ 'મસાન હોળી' રજૂ કરી, જે ભવ્ય મહાકુંભ મેળાની ઉંધી ગણતરીનો સંકેત છે. અઘોરીઓની આ મસાન હોળી દરમિયાન એક નવી જ દુનિયાનું સર્જન થયું. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતી આ મસાન હોળીએ સ્થાનિક લોકો અને પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કર્યું. રાખથી રંગાયેલા ચહેરાઓ, ધાર્મિક મંત્રો અને ધાર્મિક વિધિઓથી ભરપૂર આ શોભાયાત્રા પ્રયાગરાજની શેરીઓમાંથી પસાર થઈ, ત્યારે ત્યાં હાજર દરેકનું ધ્યાન ખેંચ્યું. મસાન હોળી અઘોરીઓ દ્વારા ઉજવવામાં આવે છે, જેઓ તેમની અપરંપરાગત પ્રથાઓ અને ઊંડી આધ્યાત્મિક માન્યતાઓ માટે જાણીતા છે. ત્યારે ચાલો જાણીએ કે આ મસાન હોળી શું હોય છે અને તેનું મહત્ત્વ શું છે?

જે રીતે વૃંદાવનની હોળી આખા દેશમાં પ્રખ્યાત છે, તેવી જ રીતે કાશીમાં મસાનની હોળીનું પણ ખૂબ જ મહત્ત્વ છે. કાશીમાં, દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના બીજા દિવસે મસાન હોળી ઉજવવામાં આવે છે. મસાન હોળી બે દિવસના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. મસાન હોળી ચિતાની રાખ અને ગુલાલથી રમાય છે. કાશીના મણિકર્ણિકા ઘાટ પર સાધુઓ અને સંતો ભેગા થાય છે અને ભગવાન શિવના ભજન ગાય છે. તેઓ નાચતા-ગાતા સ્મશાનની રાખ એકબીજા પર લગાવીને તેને હવામાં ઉડાડીને જીવન અને મૃત્યુની ઉજવણી કરે છે. આ દરમિયાન, સમગ્ર કાશી શિવમય થઈ જાય છે અને બધે જ હર હર મહાદેવ જ સંભળાય છે. પૌરાણિક કથા અનુસાર, ભગવાન શિવે તેમના લગ્ન પછી સૌપ્રથમ મસાન હોળી રમી હતી. અહીંથી જ આની શરૂઆત થઈ.

મસાન હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા

ભગવાન શિવને તપસ્વી માનવામાં આવે છે પરંતુ દેવી પાર્વતીની તીવ્ર તપસ્યા, શ્રદ્ધા અને ભક્તિ જોઈને ભગવાન શિવે દેવી પાર્વતી સાથે લગ્નનું આમંત્રણ સ્વીકાર્યું. ભગવાન શિવે પોતાના લગ્નમાં ભૂત, યક્ષ, ગંધર્વ અને આત્માઓને પણ આમંત્રણ આપ્યું હતું. ભગવાન શિવ વિશે એવું કહેવાય છે કે તેઓ ક્યારેય પોતાના ભક્તોમાં ભેદભાવ રાખતા નથી. જો કોઈ તેમને પૂર્ણ ભક્તિ અને પ્રેમથી યાદ કરે છે, તો ભગવાન શિવ ચોક્કસપણે તેમને આશ્રય આપે છે. આ કારણોસર, સ્નેહથી, ભગવાન શિવે બધા દેવતાઓ, અસૂરો, ભૂત, આત્માઓ અને અન્ય પ્રાણીઓને તેમના લગ્નમાં સામેલ કર્યા હતા. આ બધા લોકોને શિવ-પાર્વતી લગ્નમાં ખાસ મહેમાન માનવામાં આવે છે. શિવનું ઉગ્ર સ્વરૂપ જોઈને બધા ખૂબ જ ડરી ગયા હતા, પરંતુ જ્યારે પાર્વતીએ શિવને તેમના નાજુક સ્વરૂપમાં આવવા અને આ લગ્ન પૂર્ણ થવા દેવા માટે પ્રાર્થના કરી, ત્યારે શિવે એક સુંદર રાજકુમારનું રૂપ ધારણ કર્યું. આ પછી ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા.

PROMOTIONAL 13

લગ્ન પછી, ભગવાન શિવ અને પાર્વતી કાશી ફરવા આવ્યા હતા

લગ્ન પછી, ભગવાન શિવ અને પાર્વતી પહેલી વાર કાશી ફરવા આવ્યા આવ્યા. એવું માનવામાં આવે છે કે આ દિવસે રંગભરી એકાદશી હતી. રંગભરી એકાદશીના દિવસે, ભગવાન શિવે દેવી પાર્વતીને ગુલાલ લગાવીને હોળીની ઉજવણી કરી હતી. શિવ અને પાર્વતીની આ હોળી જોઈને, શિવ ગણ દૂરથી આનંદ માણી રહ્યા હતા. ભગવાન શિવ અને દેવી પાર્વતીએ રંગભરી એકાદશી પર હોળી રમી હતી. બીજા દિવસે, ભોળાનાથના ભક્તો, જેમાં ભૂત, યક્ષ, પિશાચ અને અઘોરી સાધુઓનો સમાવેશ થતો હતો, તેમણે ભગવાન શિવને તેમની સાથે પણ હોળી રમવા વિનંતી કરી. ભગવાન શિવ જાણતા હતા કે શિવના આ ખાસ ભક્તો જીવનના રંગોથી દૂર રહે છે, તેથી તેમને ધ્યાનમાં રાખીને, ભગવાન શિવે સ્મશાનમાં પડેલી રાખને હવામાં ઉડાડી દીધી. આ પછી, બધા ખાસ શિવ ગણો સાથે મળીને ભગવાન શિવને સ્મશાનભૂમિની રાખ લગાવીને હોળી રમવા લાગ્યા. માતા પાર્વતી દૂર ઉભા રહીને શિવ અને તેમના ભક્તો તરફ જોઈને ખુશ થયા હતા. ત્યારથી એવું માનવામાં આવે છે કે કાશીમાં સ્મશાનની રાખ સાથે હોળી રમવાની પરંપરા શરૂ થઈ હતી.

આ પણ વાંચો: સોના વેપારી સાથે રકઝક, ગુસ્સો આવતા દુકાન બહાર બંદૂકથી ઉડાવી ખોપરી, CCTV ભયાનક

મસાન હોળીનું શું મહત્ત્વ

એવું માનવામાં આવે છે કે મસાનની હોળી મૃત્યુની ઉજવણી જેવી છે. મસાન હોળી એ વાતનું પ્રતીક છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ડર પર કાબુ મેળવે છે અને મૃત્યુના ડરને પાછળ છોડી દે છે, ત્યારે તે જીવનની ઉજવણી આ રીતે કરે છે. જયારે ચિતાની રાખને અંતિમ સત્ય માનવામાં આવે છે. આમાંથી આપણને શીખ મળે છે કે વ્યક્તિ ભલે ગમે તેટલી અહંકાર, લોભ વગેરે દુર્ગુણોથી ઘેરાયેલી હોય, આખરે તેની જીવનયાત્રા સ્મશાનમાં જ સમાપ્ત થવાની છે. તો બીજી પૌરાણિક કથા અનુસાર, ભગવાન શિવે યમરાજને પણ હરાવ્યો હતો, તેથી મૃત્યુ પર વિજય મેળવવા માટે મસાનની હોળીનું મહત્ત્વ ઘણું વધારે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prayagraj MahaKumbh 2025 Aghoris play Masan Holi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ