CM વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ સીએમ રૂપાણીએ કહ્યું કે ભગવાનની રથયાત્રાનો શુભારંભ થયો છે.
CM વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
ગુજરાત કોરોનામુક્ત બને તેવી ભગવાનને પ્રાર્થના
બપોર સુધીમાં રથયાત્રા પૂર્ણ થશે
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળી છે. સીએમ વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી. આ દરમિયાન નીતિન પટેલ અને પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા. સીએમ રૂપાણીએ કહ્યું કે ભગવાનની રથયાત્રાનો શુભારંભ થયો છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથ ગુજરાત પર મહેર કરે અને ગુજરાત કોરોનામુક્ત બને તેવી ભગવાનને પ્રાર્થના કરી છે.
ઘરે બેઠા જ ભક્તોને દર્શન કરવાની CM રૂપાણીએ કરી અપીલ
સીએમ રૂપાણીએ ભક્તોને ઘરે રહીને યાત્રા દર્શન કરવા અપીલ કરી છે. ભાજપ સરકાર ધર્મ અને સંસ્કૃતિને પ્રાધાન્ય આપે છે. ત્યારે લોકો ઘરે બેઠા દર્શન કરી શકે તેવું આયોજન કરાયું છે.
કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રાનું આયોજન
આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા છે.તંત્ર દ્વારા કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રાનું આયોજન કરવાની મંજૂરી અપાઈ છે.ભગવાન ખુદ પોતાના ભક્તોના હાલચાલ જાણવા નિયત સમયે નિજ મંદિરેથી નીકળી ગયા છે.આ વખતેની રથયાત્રામાં પરંપરાગત અખાડાઓ,ભજનમંડળીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી.
તંત્રના નિર્ણયથી ભજન મંડળીઓ થઈ નિરાશ
તંત્રના નિર્ણયના કારણે વર્ષોથી રથયાત્રામાં જોડાતી ભજન મંડળીઓ હતાશ થઈ ગઈ હતી.આ હતાશ ભજનિક મહિલાઓએ મંદિર બહાર જ ભગવાનના ભજન ગાઈને જાણે કે રથયાત્રામાં ભગવાન જોડે જોડાવાની અરજ કરતી હોય તેવો માહોલ સર્જાયો હતો.ભજનિક મહિલાઓએ નાથના ભજન ગાઈને મંદિર બહાર જ ઉજવણી કરી હતી.તથા આ કોરોનાકાળમાં તમામ ભક્તોનું રક્ષણ કરવા ભગવાન જગન્નાથને આજીજી કરી આવતા વર્ષે જલદી આવવા ભગવાનને અરજ કરી હતી.
રાજ્ય કોરોનાની મહામારીમાંથી જલ્દીથી મુક્ત એવી પ્રાર્થના
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા. રથયાત્રા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશ અને ગુજરાત રાજ્ય કોરોનાની મહામારીમાંથી જલ્દીથી મુક્ત થાય તેવી પ્રાર્થના ભગવાન જગન્નાથને કરી
કચ્છી સમાજના સૌ ભાઈઓ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ
અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે ભગવાનનું પૂજન અર્ચન કરી ભગવાનના રથનું પણ મંદિર પરિસરમાં પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવિડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારીમાંથી બહાર આવી કોરોના મુક્ત રાજ્ય બને એવી ભગવાનને પ્રાર્થના કરી છે. અને નૂતન વર્ષે કચ્છી સમાજના સૌ ભાઈઓ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.