રાજ્યનાં અનેક ગામોમાંથી હાલમાં પાણીનો પોકાર ઊઠી રહ્યો છે. લોકો પાણી માટે સ્થાનિક નેતાઓને અને તંત્રને રજૂઆતો કરી રહ્યાં છે. તો કોઈ પાણી વિના ઊભી થતી હાલાંકીને વ્યક્ત કરવા વિવિધ પ્રકારે પ્રદર્શન કરી રહ્યાં છે. લોકોની પાણીની માંગણી સરકારથી માંડીને ભગવાન સુધી પહોંચી છે. છોટા ઉદેપુર જિલ્લાનાં સૂર્યાગામની મહિલાઓ બેડાંઓ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. એને માતાજી સામે પાણી માટે પ્રાર્થના કરી હતી.