રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબુદ કરવાના નિર્ણયનું આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો પ્રવીણ તોગડીયાએ સ્વાગત કર્યું છે. પ્રવીણ તોગડીયાએ ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્ર સરકારને આ સહાસિક નિર્ણય બદલ શુભેચ્છા પાઠવી હતી. તો સાથે જ કલમ 370 દુર કરવાથી આતંકવાદ દુર કરવામાં તેમજ જમ્મુ કાશ્મીરમાં શાંતિની સ્થાપના માટે ખુબ જ જરૂરી ગણાવી હતી. સાથે જ 30 વર્ષથી જમ્મુની ઝૂંપડીઓમાં રહેતા કાશ્મીરી પંડિતોને તેમના મકાન અને ખેતરો પાછા મળશે તેવી આશા સાથે ટુરીઝમનો પણ વિકાસ થશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો...