લખનઉથી અયોધ્યા માટે 21 ઓક્ટોબરના રોજ યાત્રા કાઢવા પર અડગ રહેલા પ્રવીણ તોગડિયાને ઉત્તર પ્રદેશ સરકારે લેખીતમાં મંજૂરી આપવામાં આવી છે.
હવે તે પોતાના સમર્થકો સાથે રવિવારના રોજ લખનઉથી સંકલ્પ સભા આયોજીત કરીને અયોધ્યા યાત્રાની શરૂઆત કરશે. જે રવિવારે સાંજ સુધીમાં અયોધ્યા પહોંચવાનું અનુમાન છે.
પ્રવીણ તોગડિયાએ આ મામલે જણાવ્યું કે શનિવારની મોડી રાતે પ્રશાસને લખનઉમાં સભા કરવા અને અયોધ્યા યાત્રા કાઢવા માટેની મંજૂરી આપી છે. આ સાથે જ તેમણે અયોધ્યામાં પણ એક સભાની અનુમતિ મળી છે. તેમની યાત્રા અને સભા પૂર્ણત:અહિંસક અને શાંતિપૂર્ણ હશે.
તેમણે વધુમાં જણાવ્યું કે તેમની આ યાત્રા અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સરકાર પર દબાવ લાવવા માટે કરાઇ છે. આ માધ્યમ થકી તે ખેડૂતો અને વિદ્યાર્થીઓ અને બેરોજગાર માટે તે મુદ્દાને પણ ઉઠાવશે જેમણે તેમને વાયદો કર્યો છે પરંતુ પૂર્ણ કર્યો નથી.
આપને જણાવી દઇએ કે આ પહેલા સ્થાનિક પ્રશાસને પ્રવીણ તોગડિયાને અયોધ્યા યાત્રા કાઢવા માટે મંજૂરી આપી નહોંતી. આ સાથે જે તેઓ સંભવિત ધરપકડ થવાથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જો કે મંજૂરી મળ્યા બાદ તેઓ સામે આવ્યા હતા અને પોતાની આગામી રણનીતિ અંગેની જાણકારી આપી હતી.