અમદાવાદ: પ્રવિણ તોગડિયાના રાજકીય પક્ષ હિન્દુસ્તાન નિર્માણ દળે 41 ઉમેદવારનોના નામ જાહેર કર્યા છે. 41 પૈકી 9 ઉમેદવારો ગુજરાતના છે. આ તકે પ્રવિણ તોગડિયાએ કહ્યું કે, 12 રાજ્યોમાં હિન્દુસ્તાન નિર્માણ દળના 100થી વધુ ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારીશું.
પહેલાં તબક્કામાં આસામ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ અને ગુજરાતના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતના 9 ઉમેદવારોમાં ગાંધીનગર માટે અમરિશ પટેલ, અમદાવાદ પશ્ચિમ માટે આર.કે.ચૌહાણ, કચ્છ માટે પ્રવિણભાઈ ચાવડા, સાબરકાંઠા લોકસભા સીટ માટે હસમુખભાઈ પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
#Ahmedabad પ્રવિણ તોગડિયાની પત્રકાર પરિષદ, એક મહિના પહેલા હિન્દુસ્તાન નિર્માણ દળનું ગઠન કર્યુ, હિન્દુસ્તાન નિર્માણ દળે ઉમેદવારોના નામની જાહેરાત કરી, 12 થી વધુ રાજ્યમાં 100 લોકસભા ઉમેદવારને ચૂંટણીમાં ઉતારીશુ, પહેલા ચરણની યાદીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કર્યા pic.twitter.com/YoGQr5ioeW
તાજેતરમાં પક્ષની કરી છે સ્થાપના
વિશ્વ હિન્દુ પરિષદમાંથી છુટા પડેલા પ્રવિણ તોગડિયાએ હિન્દુસ્તાન નિર્માણ દળ નામના નવા પક્ષની જાહેરાત કરી હતી. ત્યારે હવે પ્રવિણ તોગડિયાના પક્ષ હિન્દુસ્તાન નિર્માણ દળને ચૂંટણી ચિહ્ન તરીકે પાણીની ટાંકી ફાળવાઈ છે. પાણીની ટાંકીના ચિહ્ન અને હિન્દુત્વના મુદ્દા સાથે પ્રવિણ તોગડિયાનો પક્ષ ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે, પ્રવિણ તોગડિયા હિન્દુસ્તાન નિર્માણદળના સ્થાપક છે. આ રાજકીય પક્ષ ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં લોકસભાની તમામ બેઠકો પર ઉમેદવારોને ઉભા રાખશે અને લડશે. તેમની પાર્ટીનું સ્લોગન છે 'અબ કી બાર પબ્લિક કી સરકાર'.
મહત્વનું છે કે, ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદના કેટલા નેતાઓને તેમની જવાબદારીમાંથી મૂક્ત કરે દેવાયા હતા જેમાંના એક પ્રવિણ તોગડિયા પણ હતા. ત્યારબાદ પ્રવિણ તોગડિયાએ દિલ્હી ખાતે નવો મોરચો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ખુલ્લો મુક્યો હતો. જેમાં સાધુ-સંતોની હાજરીમાં તેઓ સંસ્થાના પ્રથમ પ્રમુખ બન્યા હતા. તેના થોડા સમય બાદ તેમણે નવા પક્ષની પણ જાહેરાત કરી હતી.