બુલંદશહેર: વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. એમને કહ્યું કે ભાજપથી દેશની જનતા નારાજ છે. ચૂંટણી સમયે કરેલા વાયદાઓને ભાજપ ભૂલી ગઇ છે. અયોધ્યામાં રામ મંદિર અને કાશ્મીરમાં હિંદુઓને ઘર જોઇએ પરંતુ સરકાર ટ્રિપલ તલાકની બાબતમાં રહી ગઇ છે. ભાજપને હિંદુની ચિંતા નથી. જનતાના નારાજ થવાના કારણે જ પેટાચૂંટણીમાં ભાજપ હારી છે. એમને કહ્યું કે રામ મંદિરનું નિર્માણ શીધ્ર હોવું જોઇએ.
જણાવી દઇએ કે વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિય સોમવારે બુલંદશહેરમાં હતા. એમને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 1984માં પણ અયોધ્યા રામ મંદિર નિર્માણનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. એમને કહ્યું કે લોકોની લાઠી ગોળીઓ ખાધી અને 2014માં પૂર્ણ બહુમત સરકાર બનાવી.
એમને કહ્યું કે રામ મંદિર માટે છેલ્લા 32 વર્ષોથી આંદોલન કરી રહ્યા છે. ભાજપની કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં પૂર્ણ બહુમતની સરકાર છે. તેમ છતાં અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું નથી. મંદિર ના બનવાથી હિંદુ જનતા નારાજને કારણે પેટાચૂંટણીમાં યૂપી રાજસ્થાન સહિત અન્ય પ્રાંતોમાં ભાજપ હારી છે.