સતત નબળા વર્ષ અને દર વર્ષે વરસાદ ખુબ ઓછા પડવાને કારણે હાલ ઠેર-ઠેર પાણી સમસ્યાઓ પાણીની તંગી સર્જાઈ રહી છે. ત્યારે જાફરાબાદ તાલુકાના વડલીના એક આધુનિક વિચારધારા વાળા ખેડૂત પ્રવીણ ભાઈ સાંખટે પોતાના ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરી છે.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ થયા વિના વરસાદી પાણી જમીનમાં ઉતરે અને તેના કુવા રીચાર્જ થાય તેવી વ્યવસ્થા કરી છે અને છેલ્લા પાંચ વર્ષ થી ઓછા વરસાદે તે ૧૨ માસ ખેતી કરી રહ્યા છે. લગભગ અડધા વિઘામાં તેમણે તળાવ બનાવ્યું છે અને પોતાના ખેતરનું વરસાદી પાણી તેમણે પોતાના આ રીચાર્જ કુવામાં ઠાલવે છે. જેથી આખું વર્ષ કુવામાં પાણી રહે છે અને બારે બાર મહિના અને નબળા વર્ષમાં પણ ખેતી કરે છે સાથે સાથે તેમના ધરનું અને ખેતરના તમામ મકાનનું છત પર પડતું વરસાદી પાણી કનેક્શન દ્વારા આ કુવામાં ઉતારે છે અને વર્ષ આખું આજ પાણી પીવે છે.
આપને જણાવી દઇએ કે, છેલ્લા પાંચેક વર્ષથી સતત વરસાદ ઓછો નોધાઇ રહ્યો છે. જેથી ખેતીની હાલત પાણીના વાંકે ફ્કોડી બની રહી છે ત્યારે ખેડૂતો માત્ર ચોમાસા દરમિયાન વાવેતર કરે છે પરંતુ જાફરાબાદના વાદળીના આધુનિક યુવા ખેડૂત પ્રવીણ ભાઈ સાંખટ દ્વારા પોતાનો આગવી કોઠા સુજથી તેમને પોતાના ખેતરમાં અડધા વિધામાં ૨૦ ફૂટ ઊંડું કૃત્રિમ તળાવ કુવા પાસે બનાવ્યું અને ખેતરનું તમાંમ વરસાદી પાણી પાઈપ મારફત આ કૃત્રિમ તળાવ માં આવે છે.
જેથી તેમનો કુવો ઓછા વરસાદ હોય તો પણ રીચાર્જ થઇ જાય છે અને તેઓ વર્ષ ના બારે માસ આ રીચાર્જ કુવામાંથી પાણી લઇ આધુનિક ખેતી કરી રહ્યા છે. વળી તેઓ બારે માસ વરસાદી પાણી જ પીવે છે. પોતાના ખેતરના ઘરનું છત પરથી તમામ વરસાદી પાણી કુવા માં ટાંકા માં ઉતારી આખું વર્ષ આ પાણી પીવે છે અને પોતાના પાકને પણ પિતમાં પીવરાવે છે.
ત્યારે આ અડધા વિધાનું તળાવ થી તેમેને તેમના કુવા ને ખુબ ફાયદો થયો છે. જેથી આ જળ ક્રાંતિ ના પ્રણેતા પ્રવીણ ભાઈ ના ખેતર માં આ કુવા જુવા લોકો દોડી આવી રહ્યા છે અને તેમનાથી પ્રેરાઈને લોકો પણ આવા કુવાનું નિર્માણ કરશે તેવું જણાવી રહ્યા છે.