ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ અંગે સંકેત આપ્યો છે. તેણે કહ્યું કે, ઝડપી બોલર તરીકે ટીમમાં એક સરપ્રાઈઝ પેકેજ હોઈ શકે છે.
પ્રસિદ્ધ કૃષ્ણા ટી-20 વિશ્વ કપમાં 'સરપ્રાઈઝ પેકેજ' હોઈ શકે છે
કૃષ્ણા વિજય હજારે ટ્રોફીમાં 17 વિકેટ ઝડપી
કૃષ્ણા ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે
કોહલીએ આ વાત કહેતા નવદીપ સૈની તરફ પણ ઈશારો કર્યો છે. જેણે શ્રીલંકા સાથે રમાયેલી બીજી ટી-20 મેચમાં બે વિકેટ લીધી હતી. સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમનાર કર્ણાટકના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ટી-20 વિશ્વ કપમાં 'સરપ્રાઈઝ પેકેજ' હોઈ શકે છે એવા સંકેત પણ આપ્યા છે. ઓસ્ટ્રેલિયાની પિચ ઝડપી અને બાઉન્સી હોય છે અને ત્યાં કૃષ્ણા જેવા બોલરો હોવાથી ટીમને ખૂબ જ ફાયદો થઈ શકે છે.
કોહલીએ કહ્યું, 'તમારે જોવું પડશે કે, કયા બોલરો એવા છે જે બોલિંગને લઈને સમાન સ્કીલ્સ ધરાવે છે અને પછી તમારે એક સિનિયરની પસંદગી કરવી પડશે. મને લાગે છે કે એક ખેલાડી ઓસ્ટ્રેલિયા જનારી ટીમમાં સરપ્રાઈઝ પેકેજ હોઈ શકે છે. જે ઝડપથી અને બાઉન્સ સાથે બોલિંગ કરી શકે છે.'
બીજી ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટથી હરાવી હતી
હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટથી હરાવી હતી. તેમણે કહ્યું, 'નવદીપે વનડે ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને જસપ્રીત, ભુવી અને શાર્દુલ જેવા અનુભવી ખેલાડીઓ સાથે ટી-20માં સારી બોલિંગ કરી રહ્યા છે. ટીમ માટે આ સારો સંકેત છે.
કોહલીએ પ્રસિદ્ધ કૃષ્ણા તરીકે બીજો વિકલ્પ પણ પસંદ કર્યો
કોહલીએ પ્રસિદ્ધ કૃષ્ણા તરીકે બીજો વિકલ્પ પણ પસંદ કર્યો. કૃષ્ણાએ વિજય હઝારે ટ્રોફી રાષ્ટ્રીય વનડે ટૂર્નામેન્ટમાં 19 વિકેટ લીધી હતી, પરંતુ ટી20માં તેનો ઈકોનોમી રેટ 8.66 છે. કોહલી મંગળવારે મેચના પરિણામ અને ટીમના પ્રદર્શનથી ખુશ છે. જોકે, હવે એ જોવાનું રહ્યું કે, આ ઝડપી બોલરને ન્યુઝીલેન્ડ પ્રવાસે જનારી ભારતની સીનિયર ટીમમાં સ્થાન મળે છે નહીં, કેમ કે તે ભારતીય ટીમનો ભાગ નથી.
પ્રસિદ્ધ કૃષ્ણાએ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે
કોહલીએ કહ્યું, 'પ્રસિદ્ધ કૃષ્ણાએ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તમામ ફોર્મેટમાં આવા બોલર હોવું ખરેખર સારી બાબત છે. વર્લ્ડ કપ તરફ નજર કરીએ તો આપણી પાસે સારા બોલરો છે. ભુવનેશ્વર કુમાર (સ્પોર્ટ્સ હર્નીયા) અને દિપક ચાહર (સ્ટ્રેસ ફ્રેક્ચર) ઘણાં લાંબા સમયથી બહાર હતા અને ભારતને વધુ ફાસ્ટ બોલરની જરૂર છે. આવી સ્થિતિમાં, કોહલીએ કૃષ્ણાનું નામ લીધું છે, જે 2018ના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારત એ ટીમનો ભાગ હતો અને તેની પાસે હવે ટીમમાં સ્થાન મેળવવાની સારી તક છે.