સાલારના ડાયરેક્ટર પ્રશાંત નીલ પ્રભાસ બીજી ફિલ્મો પર વધારે ધ્યાન આપતો હોવાને કારણે નારાજ છે. જાણો વિગતવાર
પ્રભાસથી ખાસ ખુશ નથી સાલારનાં ડાયરેક્ટર પ્રશાંત નીલ
પ્રભાસ બીજી ફિલ્મો પર વધારે ધ્યાન આપતો હોવાથી ડાયરેક્ટર નારાજ
આવતા વર્ષે સપ્ટેમ્બરમાં રીલીઝ થશે સાલાર
પ્રભાસથી ખાસ ખુશ નથી સાલારનાં ડાયરેક્ટર પ્રશાંત નીલ
રિપોર્ટ અનુસાર, પ્રશાંત નીલ ઘણી વાર કહે છે કે તે પોતાના કામને સિરિયસલી લે છે. તેઓ ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ મજાક અથવા ગૂફ અપ્સ એન્ટરટેન કરતાં નથી. જ્યારે વસ્તુઓ પ્લાન મુજબ ચાલે છે, તો તેઓ ઠીક રહે છે નહીંતર પોતાનો કંટ્રોલ ખોઈ બેસે છે. દાવો છે કે પ્રશાંત નીલ બધુ જ પરફેક્ટ કરવા માંગે છે. તેમના આ નેચરમાં લાગે છે કે પ્રભાસ ફિટ નથી બેસી રહ્યા.
પ્રભાસ બીજી ફિલ્મો પર વધારે ધ્યાન આપતો હોવાથી ડાયરેક્ટર નારાજ
રિપોર્ટ્સ અનુસાર, સાલારનાં ડાયરેક્ટર પ્રશાંત નીલને બાહુબલી સ્ટાર પ્રભાસ સાથે કામ કરવામાં ટફ ટાઈમ લાગે છે. પ્રભાસ સાલારને છોડીને બીજી ફિલ્મો પર વધારે ધ્યાન આપી રહ્યા છે. તેઓ બીજી મૂવીઝમાં કામ કરવાને લઈને ઘણા બીઝી રહે છે. આ વાત પ્રશાંત નીલને પરેશાન કરી રહી છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે સાલારમા પ્રભાસના લુક અને તેમના કામને લઈને પ્રશાંત ખાસ ખુશ નથી. જણાવી દઈએ કે પ્રભાસની બેક ટૂ બેક ફિલ્મો આવી રહી છે. દરેક ફિલ્મમાં તેમનો લુક અલગ અલગ છે, જેની અસર સાલારમાં તેમના ઓનસ્ક્રીન લુક પર પડી રહી છે. પ્રશાંત ઈચ્છે છે કે પ્રભાસ આ સમય માત્ર સાલાર પર જ ફોકસ કરે.
આવતા વર્ષે સપ્ટેમ્બરમાં રીલીઝ થશે સાલાર
પ્રભાસની અપકમિંગ ફિલ્મોમાં દિપીકા પાદુકોણ સાથેની પ્રોજેક્ટ K અને આદિપુરુષ છે. આદિપુરુષમાં પ્રભાસ સાથે કૃતિ સેનન અને સૈફ અલી ખાન પણ જોવા મળશે. બાહુબલી 2 બાદ પ્રભાસની બે મોટી ફિલ્મો રીલીઝ થઈ છે. સાહો પછી રાધે શ્યામ. હવે જોવાનું રહેશે કે સાલાર સાથે પ્રભાસ કમબેક કરી શકે છે કે નહીં. ફિલ્મ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં રીલીઝ થશે.