પ્રશાંત કિશોરની કંપની I-pac હવે ગુજરાતમાં કામગીરી કરી શકે છે અને 2022માં ગુજરાતમાં મૃતપાય થયેલી કોંગ્રેસને જીવંત કરવા પ્રયાસ કરવા આવી શકે છે
પ્રશાંત કિશોરને ટીમને મળી શકે ગુજરાત કોંગ્રેસનું કેમ્પેઇન
પ્રશાંત કિશોરની કંપની I-pacને મળી શકે કોંગ્રેસનું કેમ્પેઇન
ગુજરાતમાં મૃતપાય થયેલી કોંગ્રેસને જીવંત કરવા પ્રયાસ
ગુજરાતની રાજનીતિમાં વધુ એક નવા સમાચારે ચર્ચા જગાવી છે. ગુજરાતમાં કોંગ્રેસને લઈ સમાચાર સામે આવ્યા છે. બંગાળમાં મમતા બેનર્જીને જીત પાછળ એક નામ એવા પ્રશાંત કિશોરની પૂર્વ ટીમને લઈ સમાચાર સામે આવ્યા છે. પ્રશાંત કિશોરની ટીમને ગુજરાત કોંગ્રેસનું કેમ્પેઇન મળી શકે છે. પ્રશાંત કિશોર જે I-pac નામની કંપની સાથે કાર્યરત હતા. તે હવે ગુજરાતમાં કામગીરી કરી શકે છે. અને ગુજરાતમાં મૃતપાય થયેલી કોંગ્રેસને જીવંત કરવા પ્રયાસ કરવા આવી શકે છે. 2022ની ચૂંટણીમાં I-pacને ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારની જવાબદારી મળી શકે છે. આ પ્રકારની સંસ્થા સાથે 2022માં એડીચોટીનું જોર લગાવશે.
પ્રશાંત કિશોરે બંગાળના પરિણામ સમયે સન્યાસની કરી હતી જાહેરાત
પશ્ચીમ બંગાળની ચૂટણીમાં તૂણમૂલ કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરે ચૂંટણીના કામકાજમાંથી સન્યાસ લઈ લીધો છે. અને એક ન્યૂઝ ચેનલને ઈન્ટર્વ્યુમાં પ્રશાંત કિશોરે ભવિષ્યમાં ચૂંટણી પ્રચારની કામગીરી નહીં કરવાની પણ વાત કરી છે. સાથે અનેક પાર્ટીઓ માટે ચૂંટણી પ્રચારનું જે કામ પ્રશાંત કિશોર કરતા હતા.
પ્રશાંત કિશોરે શા માટે લીધો સન્યાસ
PKને પૂછવામાં આવ્યું કે, તેમણે સન્યાસ લેવાનો નિર્ણય કેમ કર્યો છે. તેના જવાબમાં કહ્યું કે, હું ક્યારેય આ કામ કરવા માગતો નહોતો. પરંતુ હું આવી ગયો હતો અને મેં મારા હિસ્સાનું કામ કરી દીધુ છે. મારાથી વધારે I-PACમાં હોશિયાર લોકો છે. અને તેઓ વધારે સારું કામ કરી રહ્યા છે. તો આગળ તે શું કરશે. તેના જવાબમાં કહ્યું કે, એ સમય આવશે ત્યારે ખબર પડશે.
કેન્દ્રીય કોંગ્રેસમાં થઈ શકે છે ફેરફાર
2014 લોકસભાની ચૂંટણી બાદ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. 2014માં સામાન્ય ચૂંટણીમાં સફાયો થયા બાદ મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી. કોંગ્રેસની સતત હાર બાદ 2018નું વર્ષ પાર્ટી માટે આશાનું કિરણ બનીને સામે આવ્યું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવી હિન્દી હાર્ટલેન્ડમાં વિજય મેળવીને ફરી એક વખત કોંગ્રેસ ઊભી થવા લાગી. જોકે, કોંગ્રેસની આ જીત ક્ષણિક બની રહી 2019ની સામાન્ય ચૂંટણીમાં તો પાર્ટીની હાર થઈ પરંતુ આ સમયગાળામં જીતેલા રાજ્યો પણ કોંગ્રેસ પાર્ટીના હાથમાંથી સરકવા લાગ્યા.
કોંગ્રેસમાં ભારેલો અગ્નિ
જીત મળી હોવા છતા કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યમાંથી ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને કોંગ્રેસ જોતી રહી ગઈ. કર્ણાટક અને મધ્યપ્રદેશ બાદ રાજસ્થાન કોંગ્રેસમાં પણ આગ લાગી હતી જે માંડ માંડ થાળે પડી ત્યા પંજાબ કોંગ્રેસનો વિવાદ સપાટી પર આવ્યો છે અને પંજાબની સાથે દિલ્લીમાં પણ જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે આવા સંજોગમાં પાર્ટી મોટા પાયે નિર્ણયો કરી શકે છે.
મોટા પાયે બદલાવની સંભાવના
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસે દેશવ્યાપી મોટા બદલાવો કરવાનું મન બનાવી લીધું છે. કેટલાક રાજ્યોમાં પાર્ટીની અંદર જામેલી કોલ્ડવૉરની સ્થિતીને ડામવા માટે કોંગ્રેસ મોટા પ્રમાણમાં પ્રદેશ પ્રમુખો અને વિપક્ષના નેતાઓ બદલી શકે છે. કારણ કે, હાલ પંજાબ,કર્ણાટક અને દિલ્લી કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. પંજાબમાં CM અમરિંદરસિંહ અને સિદ્ધુનું જૂથ સામસામે છે તો કર્ણાટકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડી.કે. શિવકુમાર સામે અંદરખાને કેટલાક નેતાઓને વિરોધ છે. હાલ પંજાબના વિવાદને લઇ દિલ્લીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ વિવાદને ખાળવા માટે રાહુલ ગાંધી ખુદ મેદાને પડ્યા છે. રાહુલ ગાંધી પંજાબના ધારાસભ્યો સાથે વાત કરી રહ્યા છે.