શનિવારે દિલ્હી ખાતે એક બેઠક યોજાઇ હતી. જેમાં પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી સામે એક પ્રેઝન્ટેશન રજૂ કરી ગુજરાત સહિતના રાજ્યોની ચૂંટણીને લઇને માસ્ટર પ્લાન આપ્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રશાંત કિશોરની ટીમ કરશે કામ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે પોતાના સરકારી નિવાસ ખાતે પાર્ટી નેતાઓ સાથે એક ઈમરજન્સી બેઠક યોજી હતી. જેમાં પ્રશાંત કિશોર પણ સામેલ હતાં. તેઓએ એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં કોંગ્રેસને ચૂંટણીલક્ષી માસ્ટર પ્લાન આપ્યો હતો. સૂત્રોના જણાવ્યાં અનુસાર, પ્રશાંત કિશોર કોંગ્રેસની પ્રચાર કમિટીની કમાન સંભાળશે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રશાંત કિશોરની ટીમ કરશે. ચૂંટણી પહેલાં યોજાયેલ કોંગ્રેસની આ બેઠકમાં પ્રશાંત કિશોરે 370 બેઠકો પર ફોકસ કરવા કહ્યું હતું.
ગુજરાત-હિમાચલ પ્રદેશની ચૂંટણી પર નજર
અત્રે તમને જણાવી દઇએ કે, આ વર્ષના અંતમાં ભાજપ સામે ગુજરાત અને હિમાચલ પ્રદેશને બચાવવાનો મોટો પડકાર હશે. આવી સ્થિતિમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આ બંને રાજ્યમાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે. ત્યારે બંને રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ સામે ટક્કર જોવા મળશે.
કોંગ્રેસના હાથને પ્રશાંત કિશોરનો સાથ મળશે
જો કે, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં એવો નિર્ણય કરાયો છે કે, પ્રશાંત કિશોર કોંગ્રેસની પ્રચાર કમિટીની કમાન સંભાળશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રશાંત કિશોરની ટીમ કામ કરશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસને દેશભરમાં મજબૂત કરવા માટે બેઠકમાં એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વ્યૂહરચનાના અમલીકરણ માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, બેઠકમાં પ્રશાંત કિશોર 370 બેઠકો પર ફોકસ કરવા જણાવ્યું હતું. કોંગ્રેસે UP, બિહાર અને ઓડિશામાં એકલા હાથે લડવું જોઇએ. જ્યારે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં લડવું જોઇએ એવી પ્રશાંત કિશોરે સલાહ આપી હતી.
પ્રશાંત કિશોરે બેઠકમાં રજૂ કર્યું ચૂંટણીલક્ષી પ્રેઝન્ટેશન
પ્રશાંત કિશોરે પ્રેઝન્ટેશનમાં વર્ષ 2024 ની ચૂંટણીમાં ભાજપને હરાવવા એક રોડમેપ તૈયાર કર્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, તેઓએ બેઠકમાં કહ્યું હતું કે, કોંગ્રેસ જ્યાં પણ નબળી છે ત્યાં ડ્રાઈવિંગ સીટ મજબૂત સહયોગીને આપીને ચૂંટણી લડે. સમિતિ દ્વારા રજૂ કરવામાં આવનારા અહેવાલના આધારે કોંગ્રેસ આગળની કામગીરી કરશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ થવાની ઓફર પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કે.સી વેણુગોપાલે કહ્યું કે, 'બેઠકમાં 2024 અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે. તદુપરાંત કોંગ્રેસ અધ્યક્ષે એક સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી છે. સમિતિ એક સપ્તાહમાં જ પોતાનો અહેવાલ રજૂ કરશે. આ અહેવાલના આધારે કોંગ્રેસ આગળની કામગીરી આગળ ધપાવશે.'