પ્રશાંત કિશોરે નવી પાર્ટી બનાવવા અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, 'હાલમાં હું કોઇ જ રાજકીય પક્ષ નહીં બનાવું.'
પ્રશાંત કિશોર દ્વારા સૌથી મહત્વની જાહેરાત
હાલમાં હું કોઇ જ રાજકીય પાર્ટી નહીં બનાવું: PK
લાલુ અને નીતીશના શાસન પછી પણ બિહાર દેશનું સૌથી પછાત રાજ્ય : PK
પ્રશાંત કિશોરે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, 'તેઓ હાલ કોઇ રાજકીય પક્ષ નહીં બનાવે. પહેલાં હું બિહારમાં રાજકીય પરિવર્તન માટે 3 હજાર કિલોમીટરની પદયાત્રા કરીશ પછી વિચારીશ. આ પદયાત્રા ચંપારણથી શરૂ થશે.'
આખરે છેલ્લાં કેટલાંય સમયથી પ્રશાંત કિશોરના આગામી નિર્ણયને લઇને ચાલતા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. અંતે ચૂંટણીની રણનીતિ બનાવનાર પ્રશાંત કિશોરે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, 'તેઓ અત્યારે કોઈ જ રાજકીય પક્ષ નહીં બનાવે.' વધુમાં એમ પણ જણાવ્યું કે, 'તેઓ બિહારમાં રાજકીય પરિવર્તન માટે 3 હજાર કિલોમીટરની પદયાત્રા કરશે. લાલુ અને નીતીશના 30 વર્ષના શાસન પછી પણ બિહાર દેશનું સૌથી પછાત અને ગરીબ રાજ્ય છે. વિકાસના ઘણા માપદંડો પર બિહાર હજુ પણ દેશમાં સૌથી નીચલા ક્રમે છે. બિહારને આવનારા સમયમાં અગ્રણી રાજ્યોની યાદીમાં આવવું હોય તો તેના માટે નવી વિચારસરણી અને નવા પ્રયાસોની જરૂર છે.'
આગામી ત્રણ-ચાર મહિનામાં 18 હજાર લોકોને મળીશ - PK
પીકેએ વધુમાં કહ્યું કે, 'મારું એમ માનવું છું કે કોઈ એક વ્યક્તિ નવી વિચારસરણી અને નવા પ્રયાસો નથી કરી શકતી. જ્યાં સુધી બિહારના તમામ લોકો પ્રયત્નો નહીં કરે ત્યાં સુધી બિહારનું કલ્યાણ નહીં થઈ શકે.' તેમણે કહ્યું કે, 'હું આજે કોઈ પક્ષ કે રાજકીય પક્ષની જાહેરાત નથી કરવાનો. મારો પ્રયાસ છે કે આગામી ત્રણ-ચાર મહિનામાં હું જન સ્વાવલંબનની વિચારસરણી સાથે લગભગ 18 હજાર લોકોને મળીશ.'
જો બધા સહમત થાય તો નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરીશ - PK
PKએ કહ્યું કે, "લગભગ 90 ટકા લોકો સહમત છે કે બિહારમાં નવી વિચારસરણી અને નવા પ્રયાસોની જરૂર છે. હવે હું 18 હજાર લોકોને મળીશ અને તે બધાને ભાગીદાર બનાવવાનું મારું લક્ષ્ય છે. જો તેઓ બધા ભેગા થાય અને નવી પાર્ટી બનાવવા માટે સહમત થાય તો નવી પાર્ટીની જાહેરાત કરવામાં આવશે.'