ખોડલધામના ચેરમેન અને દિગ્ગજ પાટીદાર નેતા નરેશ પટેલના રાજકીય ભવિષ્યને લઈને પરિસ્થિતિઑ હવે સ્પષ્ટ થતી દેખાઈ રહી છે.
કોંગ્રેસમાં સામેલ નહીં થાય પ્રશાંત કિશોર
હવે નરેશ પટેલનું શું?
ભાજપ-AAP પર શું પડશે અસર
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ત્રણ પાર્ટીઓમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને નેતાઓને લઈને જબરી ખેંચતાણ છે. છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં બે નામોની ખૂબ ચર્ચા છે, નરેશ પટેલ અને હાર્દિક પટેલ. નરેશ પટેલ રાજકારણમાં આવે છે એવી જોરશોર ચર્ચા કરવામાં આવી રહી હતી પરંતુ આજે પ્રશાંત કિશોર કરેલ એલાન બાદ હવે નરેશ પટેલના રાજકીય ભવિષ્યનું શું થશે તેના પર મોટો સવાલ ઊભો થયો છે.
"Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined...," Randeep Surjewala, Congress pic.twitter.com/n2QYgT37NP
" I declined the generous offer of Congress to join the party as part of the EAG...In my humble opinion, more than me the party needs leadership & collective will to fix the deep rooted structural problems through transformational reforms," tweets Poll strategist Prashant Kishor. pic.twitter.com/jVkkfqHemw
મંગળવારે પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને એલાન કર્યું કે હું કોંગ્રેસ દ્વારા મને પાર્ટીમાં સામેલ કરવાની ઓફર આપવામાં આવી છે જેનો હું અસ્વીકાર કરું છું. પ્રશાંત કિશોર પાર્ટીને સલાહ આપી કે તમારે મારી નહીં સારા લીડરશીપની જરૂર છે. કોંગ્રેસમાંથી પણ પ્રવક્તા દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે પ્રશાંત કિશોરે હાઇકમાન્ડ સામે પ્રેઝેન્ટેશન આપ્યું અને સલાહ સૂચન કર્યા હતા તે બદલ લાભર.
નરેશ પટેલને કોંગ્રેસમાં જવું હતું પણ PK વગર નહીં
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નથી જોડાવવાના આ સમાચાર આવતા જ ગુજરાતનું રાજકારણ તેજ થઈ ગયું. નરેશ પટેલ પહેલેથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હોવાનું માનવામા આવે છે પરંતુ ચૂંટણી પહેલા પાર્ટીમાં જોડાવવા માટે એક શરત રાખી હોવાનું સૂત્રો દ્વારા સામે આવ્યું હતું, પ્રશાંત કિશોરને જો ગુજરાતમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો નરેશ પટેલ પણ પાર્ટીમાં જોડાય.
PK વગર કેમ કોંગ્રેસમાં ન જઈ શકે નરેશ પટેલ?
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી ગુજરાતની સત્તા પર આવી શકી નથી અને પ્રધાનમંત્રી મોદી-ગૃહમંત્રી અમિત શાહના ગૃહરાજ્યમાં જ ભાજપને જ હરાવવા માટે સારા નેતૃત્વની જરૂર છે. પ્રશાંત કિશોરનો ટ્રેક રેકૉર્ડ સારો રહ્યો છે જેમાં તે એક ચહેરાને આગળ કરીને ચૂંટણી માટે રણનીતિ બનાવે છે. એવામાં નરેશ પટેલને ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે આગળ કરી પ્રશાંત કિશોર રાજ્યમાં કમાલ કરી બતાવે તેવી રણનીતિ હેઠળ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ જાત, પરંતુ જો PK જ કોંગ્રેસમાં ન આવે તો નરેશ પટેલ રાજ્યના પ્રાદેશિક નેતાઓના બળે પાર્ટીમાં જોડાવવાનું પસંદ કરશે નહીં. કારણ કે કોંગ્રેસમાં લીડરશિપ અને નિર્ણયશક્તિને લઈને કેવી સ્થિતિ છે તે સૌ કોઈ જાણે છે.
નરેશ પટેલનું હવે શું?
નરેશ પટેલ હવે રાજકારણમાં પ્રવેશ જ નથી કરવો તેવી જાહેરાત કરી શકે છે. આ સિવાય તેમની પાસે બીજા 2 વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી છે. જોકે રાજકીય પંડિતોનું માનીએ તો નરેશ પટેલ હવે ખોડલધામના ચેરમેન જ બન્યા રહેવાનું પસંદ કરશે.
નોંધનીય છે કે ગઇકાલે જ ખોડલધામમાંથી એવા સમાચાર સામે આવ્યા હતા કે નરેશ પટેલે જે સર્વે કર્યો હતો તેના પરિણામો આવી ગયા છે, જેમાં 75 ટકા લોકોનું માનવું છે કે નરેશ ભાઈએ રાજકારણમાં જવું જોઈએ નહીં. એવામાં હવે નરેશ પટેલ સર્વે આગળ કરીને એવી જાહેરાત કરી શકે છે કે રાજકારણમાં જોડાવવાનું નથી.
કોંગ્રેસ હવે હાર્દિકને મનાવશે
એક બાજુ નરેશ પટેલની એન્ટ્રીને લઈને કોંગ્રેસમાં ચર્ચાઓ કરવામાં આવી રહી હતી અને બીજી બાજુ બીજા દિગ્ગજ પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓથી ખૂબ નારાજ હોવાનું સામે આવ્યું. વારંવાર ટકોર છતાં હાર્દિક પટેલ ટ્વિટ અને મીડિયાના માધ્યમથી પોતાની નારાજગી વ્યક્તિ કરી ચૂક્યા છે ત્યારે હવે પ્રશાંત કિશોરના આ એલાન બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ હવે હાર્દિક પટેલને મનાવવા માટે પૂરા પ્રયાસ કરશે.
ભાજપ અને AAP પર શું અસર પડશે?
ગુજરાતમાં વર્ષ 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલ ફેક્ટરની અસર આખા ગુજરાતમાં જોવા મળી હતી. પોતાના જ ગઢમાં ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે ખૂબ મહેનત કરવી પડી અને પરિણામમાં 100 સીટો પણ ન આવી. એવામાં જો 2022માં નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો ભાજપને સૌરાષ્ટ્ર અને સુરતમાં પાટીદાર સમાજના વૉટને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડશે. બીજી તરફ પાટીદાર વોટમાં AAP ગાબડું મારવા માટે તૈયારી કરી રહ્યું છે, જો નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો વોટના ધ્રુવીકરણના કારણે AAPને નુકસાન થઈ શકે છે, પરંતુ જો નરેશ પટેલ કોંગ્રેસમાં નથી જતાં AAPને વોટ ખેંચવામાં સરળતા રહેશે, ભાજપ અને કોંગ્રેસ બંનેના અસંતુષ્ટો AAP તરફી જાય તેવા વલણ દેખાઇ રહ્યા છે.
ખોડલધામનો હોદ્દો પણ જોખમમાં?
નરેશ પટેલ માટે બાવાના બેય બગડ્યા જેવી હાલત થઈ શકે છે. રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના મતે પ્રશાંત કિશોર પ્રોફેશનલ વ્યક્તિ છે તે કંઈ પણ કરી શકે છે. કોંગ્રેસને બહારથી પણ મદદ કરી શકે છે. પ્રશાંત કિશોર એક ટોપલામાં બધા ઈંડા મૂકવા માંગે છે તે શક્ય નથી. પરંતુ આ સંજોગોમાં હાલ તો નરેશ પટેલ માટે વિકટ મૂંઝવણ ઊભી થઈ છે. એક બાજુ સૂત્રો અનુસાર નરેશ પટેલે ખોડલધામની બેઠકમાં જાતે જ કોંગ્રેસ સાથે જોડાવવાની જાહેરાત કરી હતી. આવામાં હવે જો નરેશ પટેલ પાછી પાની કરે તો ખોડલધામનો હોદ્દો પણ જોખમમાં મૂકાઈ શકે છે.
કારણ કે ઉલ્લેખનીય છે કે નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવા માટે એક સર્વે કરાવવામાં આવ્યો છે જેમાં સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે સર્વેમાં પરિણામ રાજકારણમાં ન જોડાવવાનો આવ્યું છે.