પી.કે. યાને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાતાં પહેલાં જ પરત ફરી ગયા. તેમણે કોંગ્રેસની ઓફરને ઠુકરાવી દીધી છે પરંતુ હવે પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં આપેલું પ્રેઝન્ટેશન વાયરલ થયું છે.
રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં આપેલું પ્રેઝન્ટેશન થયું વાયરલ
600 પાનાના પ્રેઝન્ટેશનમાંથી 85 પાનાનું પ્રેઝન્ટેશન થયું વાયરલ
ઘણા દિવસોથી પ્રશાંત કિશોર અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ વચ્ચે સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો. એવી ચર્ચા જોર પકડ્યું હતું કે, પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે. આ મૈરાથોન બેઠકો સાથે પ્રશાંત કિશોરે સંગઠન માળખામાં ફેરફાર અને અન્ય પાસાંઓને લઈને ભારેખમ પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. પરંતુ મંગળવારે રણદીપ સિંહ સૂરજેવાલાનું એક ટ્વીટ આવ્યું અને તમામ અટકળો પર વિરામ ચિહ્ન લાગી ગયું. તેમણે કહ્યું કે, પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફરને ઠુકરાવી દીધી છે. આ અગાઉ થોડા દિવસ પહેલા દિલ્હીમાં 10 જનપથ સ્થિત સોનિયા ગાંધીના ઘરે યોજાયેલી બેઠકમાં પ્રશાંત કિશોરે કોંગ્રેસ અધ્યક્ષ સામે 2024ની લોકસભા ચૂંટણી અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરીને પોતાના વિચારો જણાવ્યા હતા. ત્યારે હવે આ રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં આપેલું 600 પાનાના પ્રેઝન્ટેશનમાંથી 85 પાનાનું પ્રેઝન્ટેશન વાયરલ થયું છે.
પ્રેઝન્ટેશનમાં કોંગ્રેસના નેતૃત્વથી લઇને ચૂંટણીલક્ષી સલાહ આપવામાં આવી છે. કોંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાયના નેતાને નેતૃત્વ સોંપવાની સલાહ અપાઈ છે. UPA ચેરમેન તરીકે ગાંધી પરિવારમાંથી કોઇને રાખવાની સલાહ આપી છે. તો રાહુલ કે પ્રિયંકા ગાંધીને ત્રીજો-ચોથા નંબરના સ્થાન પર રહેવાનું કહેવાયું છે.
પ્રશાંત કિશોરના પ્રેઝન્ટેશનમાં ગાંધી-ગોડસેનો પણ ઉલ્લેખ કરાયો છે. પ્રશાંત કિશોરની સલાહ છે કે, કોંગ્રેસ ગોડસેમાંથી નીકળીને ખેડૂત, યુવા, મહિલાના મુદ્દા પર આવે. પ્રેઝેન્ટેશનમાં PM મોદી પર અસભ્ય ભાષાનો પ્રયોગ ન કરવા પણ સલાહ અપાઈ છે. પ્રેઝેન્ટેશનમાં મોદી-શાહ અને રાહુલ-પ્રિયંકાની સરખામણી કરવામાં આવે. બન્નેના સોશિયલ મીડિયામાં કોણ કેટલું આગળ અને કોણ પાછળનો ઉલ્લેખ કરાયો છે. પ્રશાંત કિશોરે 17 રાજ્યમાં એકલા ચૂંટણી લડવાની વાત કરી છે. 358 સીટ એકલા લડવાની, 168 સીટ સાથી પક્ષ સાથે લડવાની સલાહ આપી છે. તો નાના રાજ્યમાં મોટા ભાઇ બનીને ચૂંટણી લડવાની પ્રશાંત કિશોરે સલાહ આપી છે.
પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી દીધીઃ રણદીપસિંહ સૂરજેવાલા
ઘણા દિવસોથી પ્રશાંત કિશોર અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ વચ્ચે સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો. એવી ચર્ચા જોર પકડ્યું હતું કે, પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે. આ મૈરાથોન બેઠકો સાથે પ્રશાંત કિશોરે સંગઠન માળખામાં ફેરફાર અને અન્ય પાસાઓને લઈને ભારેખમ પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. પરંતુ મંગળવારે રણદીપ સિંહ સૂરજેવાલાનું એક ટ્વીટ આવ્યું અને તમામ અટકળો પર વિરામ ચિહ્ન લાગી ગયું. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે પ્રશાંત કિશોર સાથેની ચર્ચાવિચારણા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચના કરી હતી અને કિશોરને કોંગ્રેસમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ હવે તેમણે કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી દીધી છે. તેમણે કહ્યું કે અમે કિશોરના પ્રયાસો અને સૂચનોને કદર કરીએ છીએ.
હું કોંગ્રેસની ઓફરનો અસ્વીકાર કરું છુંઃ પ્રશાંત કિશોર
મંગળવારે પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને એલાન કર્યું કે હું કોંગ્રેસ દ્વારા મને પાર્ટીમાં સામેલ કરવાની ઓફર આપવામાં આવી છે જેનો હું અસ્વીકાર કરું છું. પ્રશાંત કિશોર પાર્ટીને સલાહ આપી કે તમારે મારી નહીં સારા લીડરશીપની જરૂર છે. કોંગ્રેસમાંથી પણ પ્રવક્તા દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે પ્રશાંત કિશોરે હાઇકમાન્ડ સામે પ્રેઝેન્ટેશન આપ્યું અને સલાહ સૂચન કર્યા હતા તે બદલ આભર.