સતત ચૂંટણીઓમાં હારનો સામનો કરી રહેલી પાર્ટી નવા અવસરની રાહ જોઈ રહી છે. જેના માટે હવે પાર્ટીને ચૂંટણીના ચાણક્ય અને રણનીતિકાર પ્રશાંત કિશોરને સાથ મળવા જઈ રહ્યો છે.
કોંગ્રેસ પાર્ટીમાં પીકેની એન્ટ્રી લગભગ નક્કી
પાર્ટીમાં મળી શકે છે સૌથી મોટી જવાબદારી
કોંગ્રેસ સામે પીકેએ રજૂ કર્યું પાવરફુલ પ્રેજેંટેશન
6 મહિના સુધી ચાલેલી બેઠકો અને મુલાકાત બાદ કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી લગભગ નક્કી થઈ ગઈ છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને કહ્યું હતું કે, પ્રશાંત કિશોર પાર્ટીમાં સામેલ થશે અને 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ પણ બનાવશે.
આ અગાઉ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે સોનિયા ગાંધી સાથે પીકેના મુદ્દા પર વાત કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ કહ્યું કે, પ્રશાંતિ કિશોર જેવા સ્ટ્રેટજિસ્ટનો અનુભવ કોંગ્રેસને ફાયદો કરાવશે.
PKનું પાવર મેકિંગ પ્રેજેંટેશન
આ બાજૂ પ્રશાંત કિશોરે કોંગ્રેસ નેતાઓને 52 સ્લાઈડનું પ્રેજેંટેશન બતાવ્યું હતું. જેમાં 18 સ્લાઈડ કોંગ્રેસની કમ્યુનિકેશન સ્ટ્રેટજી સાથે જોડાયેલી હતી. 10 સ્લાઈડમાં એવું બતાવ્યું હતું કે, ક્યા રાજ્યોમાંથી પાર્ટીની સીટો વધી શકે છે. 4 સ્લાઈડમાં એ પણ જણાવ્યું હતું કે, ક્યા રાજ્યોમાં પાર્ટીને તાત્કાલિક મજબૂત કરવાની જરૂર છે.
5 સ્લાઈડ્સ એવી પણ હતી જ્યાં 4-5 રાજ્યોમાં ગઠબંધન બનાવાની વાત કરવામાં આવી છે. અંતિમ સ્લાઈડ્સ પાર્ટીની ઈમેજ બિલ્ડીંગ સાથે જોડાયેલી હતી.
PKને બનાવી શકે છે પાર્ટી મહાસચિવ
સૂત્રોના જણાવ્યા અનુસાર પીકેને પાર્ટી મહાસચિવનો રોલ આપી શકે છે. તે સ્ટ્રેટજી અને અલાયંસ પર કામ કરશે. જો આવું થશે તો, કોંગ્રેસમાં પહેલી વાર આ પ્રકારનું પદ ઉભું કરવામાં આવશે. એટલે કે, 2024 લોકસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોર કોંગ્રેસની ચૂંટણી રણનીતિ અને બીજા પાર્ટીઓ સાથે ગઠબંધન પર નિર્ણય કરશે.
કોંગ્રેસમાં PK ની શું ભૂમિકા હશે
ઓક્ટોબર 2021માં રાહુલ પ્રિયંકા સાથે મુલાકાતમાં પ્રશાંત કિશોરે પાર્ટીમાં પોતાની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે પાર્ટીએ નિર્ણય લેવામાં સૌથી મોટી બોડી કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોના વિરોધના કારણે પીકેની એન્ટ્રી થઈ શકી નહોતી. જો કે, હવે પીકેની એન્ટ્રી અને તેની ભૂમિકા લગભગ સ્પષ્ટ થઈ ચુકી છે. સ્ટ્રેટજી અને અલાંયસની ભૂમિકામાં આવતા જ પ્રશાંતના ખાતામાં બે મોટી જવાબદારી આવી જશે.
કોંગ્રેસ માટે પીકેની શું રણનીતિ છે
પ્રશાંત કિશોરે પોતાના પ્રેજેંટેશનમાં કોંગ્રેસમાં પ્રાણ ફુંકવા માટે કેટલાય સૂચનો આપ્યા છે. તેમાંથી દેશભરની લોકસભાની 370 સીટ પર ફોક્સ, બિહાર-યુપી અને ઓડિશામાં એકલા ચલો અને તમિલનાડૂ અને મહારાષ્ટ્રમાં ગઠબંધન કરવાની રણનીતિ સામેલ છે.
આ ઉપરાંત પીકેએ સૂચન આપ્યું છે કે, કોંગ્રેસના કમ્યુનિકેશન સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર છે. પીકેએ એક અન્ય સૂચનમાં કહ્યું છે કે, જે રાજ્યોમાં કોંગ્રેસની સીધી ટક્કર ભાજપ સાથે છે. તે રાજ્યોમાં પાર્ટીના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની જરૂર છે. સાથે જ પીકે એ કહ્યું કે, કોંગ્રેસને એક ફુલટાઈમ પ્રેસિડેંટની જરૂર છે. જે સંગઠનને ચલાવી શકે.