સુપ્રીમ કોર્ટદ્વારા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે અને સુપ્રીમ કોર્ટ પર તેમની બે ટ્વીટ્સ બદલ અવમાનનાના આરોપ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા છે. આ મામલે જો કે પ્રશાંત ભૂષણે સોગંદનામું દાખલ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણ પર સુપ્રીમ કોર્ટની તવાઈ
સીજેઆઈ બોબડેની તસવીર પર કરેલ ટ્વીટ્સ બાબતે સૂઓમોટો
પ્રશાંત ભૂષણનો કેસ વરિષ્ઠ વકીલ દૂષયાંત દવે લડી રહ્યા છે
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા અને એક્ટિવિસ્ટ તરીકે જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે અને સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ કરાયેલી બે ટ્વીટ્સ અંગે દોષી માનવામાં આવ્યા છે, જો કે 20 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ તેની સજા અંગેનો નિર્ણય લેશે. જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીના ત્રણ જજોની બનેલી ખંડપીઠે આ અંગેનો ચુકાદો આપ્યો હતો.
શું કહ્યું પ્રશાંત ભૂષણે?
પ્રશાંત ભૂષણે જો કે 3 ઓગસ્ટના તેમના સોગંદનામામાં કહ્યું હતું કે તેમણે જે ટ્વીટ કર્યું તેના માત્ર એક ભાગનો જ તેમને અફસોસ છે અને આ બાબતે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટોચના ન્યાયાધીશની ટીકા કરવી તે કોઈ પણ રીતે સુપ્રીમ કોર્ટ સંસ્થાની ગરિમાને નુકસાન નથી પહોંચાડતી, અને તેમ જ તેની ઓથોરિટીમાં પણ કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતી નથી.
શું હતો મામલો?
પ્રશાંત ભૂષણે સીજેઆઈ એસ. એ. બોબડેના તે ફોટા પર ટિપ્પણી કરી હતી જેમાં તેઓ એક સ્પોર્ટ્સ બાઇક પર સવાર છે, આ અંગે પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે જો તેઓ સીજેઆઈ છે તો શું થયું? તેઓ કેમ હેલમેટ પહેરતા નથી? આ મતલબની ટ્વિટ બાદ જો કે ખુલાસો થયો હતો જે સમયે મુખ્ય ન્યાયાધીશ બોબડે એ તસવીર ખેંચાવી, ત્યારે તે બાઇક સ્ટેન્ડ પર ઊભું હતું, અને તે માટે હેલમેટની જરૂર નહોતી.
આ બાબતે જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વત: સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને પ્રશાંત ભૂષણને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી, જેને લઈને એક સોગંદનામામાં પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, ટ્વિટ કરતી વખતે બાઇક સ્ટેન્ડ પર હતું તે તમન ધ્યાને આવ્યું નહોતું અને તે બદલ તેઓ દિલગીર છે. જો કે સાથે જ તેમણે કહ્યું હતું એ તેમણે કરેલી ટ્વિટના બાકીના ભાગનું તેઓ સમર્થન કરે છે, અને તે બદલ તેઓ કોઈ ખેદ અનુભવતા નથી.
જો કે આ મામલે આ કેસના ચાર્જમાંથી ટ્વિટરને આરોપમુક્ત જાહેર કરી હતી, આ મામલે ટ્વિટરના અધિકારીઓ દ્વાર કરાયેલા ખુલાસાને સુપ્રીમ કોર્ટે માણી રાખતા કહ્યું હતું કે તે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ દ્વારા અપાયેલા ખુલાસાને સ્વીકારે છે."અમે તેના દ્વારા આપવામાં આવેલા સમજૂતીને સ્વીકારીએ છીએ કે, તે ફક્ત એક મીડિયમ છે અને પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓ શું પોસ્ટ કરે છે તેના પર તેમનો કોઈ નિયંત્રણ નથી. આ અદાલત દ્વારા આ મમલે કાર્યવાહી સહૃ કરાયા બાદ તેમણે બોનફાઇડ કાર્યવાહી કરીને બતાવી દીધું છે કે તેમણે તે બંને ટ્વીટ્સને પ્લેટફોર્મ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા''
પ્રશાંત ભૂષણે બચાવમાં શું કહ્યું ?
ભૂષણએ કહ્યું કે તેઓ પોતાની વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ કરી રહ્યા છે અને કોર્ટની કામગીરી અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે, અને તે "ન્યાયના અવરોધ" સમાન નથી,જેને કોઈ અવમાનના તરીકે ન જોવી જૉઇએ. જો કે છેલ્લી સુનાવણીમાં ભૂષણના વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે તેમના બંને ટ્વીટ્સ સંસ્થાની વિરુદ્ધ નથી. અને તેઓ તેમના ટ્વીટ્સ દ્વારા ન્યાયાધીશોના વ્યક્તિગત વહેવારની વિરુદ્ધ છે, જેને કોર્ટની અવમાનના તરીકે ન જોવી જોઈએ.
હવે શું થશે?
જો કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટની કલમ 12 હેઠળ સૂચવેલ સજાની જોગવાઈ મુજબ, દોષિતને છ મહિના સુધીની કેદની સજા અથવા બે હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. હવે આ અંગેની ચર્ચા 20 ઓગસ્ટે યોજાશે. આ પછી સુપ્રીમ કોર્ટ સજા જાહેર કરશે.