ભારતમાં ઘણાં ચમત્કારી મંદિર છે. જેના ચમત્કારોની વાતો ખૂબ જ પ્રચલિત છે. મેહંદીપુર બાલાજીનું મંદિર પણ કંઇક આવી જ રીતે ઘણું પ્રચલિત છે. આ મંદિર રાજસ્થાનના દોસા જિલ્લામાં સ્થિત છે.
આ મંદિરમાં જે પહેલી વાર આવે છે તે અહીંનો નજારો જોઇને દંગ રહી જાય છે. અહીં લોકો ભૂત-પ્રેતથી છૂટકારો મેળવવા આવે છે. મેહંદીપુર બાલાજીના દરબારમાં પહોંચતાંની સાથે જ ભૂત-પ્રેત જેવી કાળી શક્તિઓ ડરથી કાંપવા લાગે છે. અહીં પ્રેતને શરીરથી અગલ કરવા માટે આકરી સજા આપવામાં આવે છે. આ દ્રશ્ય જોઇને ભલભલાના રૂવાડાં ઉભા થઇ જાય છે.
મેહંદીપુર બાલાજીની છાતીની ડાબી બાજુ એક છેદ છે જેમાંથી નિરંતર જળ વહે છે. એવી માન્યતાઓ છે કે વહેતુ જળ એ બાલાજીનો પરસેવો છે. આ મંદિરમાં ત્રણ દેવતાઓ બિરાજમાન છે. એક તો સ્વયં બાલાજી બીજા પ્રેતરાજ અને ત્રીજા જેમને કપ્તાન કહેવામાં આવે છે.
આ મંદિરની ખાસિયત છે કે અહીં પ્રસાદ સ્વરૂપે બાલાજીને લાડુ પ્રેતરાજને ચોખા અને અડદ ચડાવવામાં આવે છે. બાલાજીને ચડાવેલ પ્રલાદના બે લાડુ ખાતાની સાથે જ ભૂત-પ્રેતથી પીડિત વ્યક્તિના અંદર રહેલી આત્માઓ અજબ-ગજબની હરકતો કરે છે.
આ મંદિરના નિયમ પણ ખૂબ જ કડક છે અહીંયા દર્શનાર્થે આવવાના એક અઠવાડિયા પહેલાં ડુંગળી લસણ માંસ અને દારૂ જેવી વસ્તુંઓ છોડવી પડે છે. આ ઉપરાંત અહીં ચડાવેલ પ્રસાદ ભક્ત પોતાના ઘરે નથી લઇ જઇ શકતો કારણ કે માન્યાઓ છે કે અહીંથી પ્રસાદ ઘરે લઇ જવાથી ભૂત-પ્રેત જેવી આત્માઓ સાથે જાય છે.