નિત્યાનંદની પણ ધરપકડ માટે અમદાવાદ પોલીસે કર્ણાટક પોલીસની મદદ લીધી છે. આ મામલે CID ક્રાઈમની એક ટીમ કર્ણાટક તપાસ માટે જશે. જોકે પોલીસને હજુ સુધી નિત્યાનંદનું લોકેશન નથી મળ્યું. હાલ પોલીસે નિત્યાનંદ સામે અત્યાર સુધી થયેલા તમામ કેસની વિગત મંગાવી છે. નિત્યાનંદ સામે વર્ષ 2016માં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. ત્યારે હવે નિત્યાનંદ વિદેશ ભાગી ગયો હોવાનું પોલીસનું માનવું છે. બીજી તરફ ગુમ યુવતીઓના વીડિયો સામે આવી રહ્યા છે અને તેના પિતા આક્ષેપો કરી રહ્યા છે.
ગુમ યુવતીઓના પિતા જનાર્દન શર્માના પોલીસ પર આક્ષેપ
મારી પુત્રીઓને સાથે મને મળાવતા નથી: પિતા
મારી પુત્રીઓ અહીં જ છે: પિતા
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો વધુને વધુ ગૂંચવાતો જાય છે. એક તરફ ગુમ યુવતીના વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં તે તેને ગોંધી રાખવાના આરોપો ખોટા હોવાનું કહી રહી છે. તો બીજી તરફ ગુમ યુવતીઓના પિતા યુવતીઓને મળવા નહીં દેવામાં આવતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ગુમ યુવતીઓના પિતા જનાર્દન શર્માએ આ સમગ્ર મામલે પોલીસ પર આક્ષેપ કર્યા છે. પોલીસ કોઈ મોટા માથાના ઈશારે કામ કરતી હોવાનો જનાર્દન શર્માએ આક્ષેપ કર્યો છે. તેમજ તેમણે કહ્યું કે, પોલીસ બધુ જ જાણતી હોવા છતાં કંઈક છુપાવી રહી છે. પોલીસ ભલે એમ કહેતી હોય કે તેમની પુત્રીઓ નેપાળમાં છે. પણ તે તદ્દન ખોટું છે. કેમકે નેપાળના વિઝા કે પાસપોર્ટ વિના આ કઈ રીતે શક્ય હોય ? મારી પુત્રીઓ અહીં જ છે. પરંતુ મને મારી પુત્રીઓ સાથે મળાવતા નથી.
અમદાવાદમાં નિત્યાનંદ આશ્રના વિવાદના મામલે આશ્રમની સાધિકાઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. મિર્જાપુર કોર્ટે વચગાળાના જામીનની માગ ફગાવી દિધી છે. બંને સાધિકાઓએ કરી વચગાળાની જામીન અરજી કરી હતી. જામીન અરજી રદ્દ કરતા કોર્ટે અવલોકન કર્યુ હતું અને કોર્ટે આ મામલે જણાવ્યુ હતું કે રેગ્યુલર જામીન અરજી પેન્ડિંગ છે. આથી વચગાળાના જામીન આપી શકાય નહીં. હાલ પ્રાણપ્રિયા-પ્રિયાતત્વને સાબરમતી જેલ મોકલવામાં આવ્યાં છે.
4 વિદેશ સાધ્વીઓ અને 9 બાળકોએ આશ્રમ છોડ્યો
નિત્યાનંદ આશ્રમ વિવાદનો લઈને ઓડાની ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. ત્યારે વધુ એક બાળકે આશ્રમમાંથી ઘરે પરત જશે. બાળકના માતા-પિતા બાળકને લેવા પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 9 બાળકોએ આશ્રમ છોડ્યા હોવાનું સામે આવ્યું છે. ગઇકાલે 2 બાળકોએ આશ્રમ છોડ્યો હતો. એક વિદેશ સાધવી સહિત 4 સાધવીઓએ આશ્રમ છોડ્યો છે.