પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે બહુમત એટલે બધાને સાથે લઈને ચાલવું. તેઓએ કહ્યું કે જનતા મનમરજીથી ચાલનારી પાર્ટીને આવનારી ચૂંટણીમાં નકારી દેશે. પ્રણવ મુખજી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતિય અટલ બિહારી વાજપેયી સ્મૃતિ વ્યાખ્યાન આપી રહ્યા છે. આ સમયે મુખર્જીએ કહ્યું છે કે લોકોને સાંભળવાનું બંધ કરવું એ લોકશાહી માટે ખતરનાક છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહી આ વાત
CAA અને NRC બિલ પર આપી ચેતવણી
પોતાનો અવાજ સાંભળશો તો જ લોકતંત્ર કાયમ રહેશેઃ પૂર્વ રાષ્ટ્રપતિ
નાગરિકતા સંશોધન કાયદાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે કાયદાથી દેશના અલ્પસંખ્યકોને ખતરો છે. આ માટે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બુધવારે કહ્યું કે પ્રશ્ન આજે પણ દરેકની સામે છે. વિવિધ વિચારોને સાંભળો અને પછી રાષ્ટ્રહિતને થોપો. મુખર્જીએ કહ્યું કે બહુમતનો અર્થ દરેકને સાથે લઈને ચાલવાનો છે. તેઓએ કહ્યું કે જનતા મનમરજી કરનારી પાર્ટીને અન્ય ચૂંટણીમાં નકારી દે છે. પ્રણવ મુખર્જિએ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતિય અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં વ્યાખ્યાન આપ્યું હતું.
"A numerical majority in elections gives you the right to make a stable Government.The lack of popular majority forbids you from a majoritarian Government.That is the message & essence of our Parliamentary Democracy."
Delivered the 2nd #AtalBihariVajpayee Memorial Lecture today. pic.twitter.com/qUfqZmyecx
પોતાનો અવાજ સાંભળશો તો જ લોકતંત્ર કાયમ રહેશેઃ પૂર્વ રાષ્ટ્રપતિ
વિવિધતા પર ભાર આપતાં પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે યાદ રાખવું જોઈએ કે જો આપણે પોતાના સિવાય અન્યનો અવાજ સાંભળવાનું બંધ કરીશું તો લોકતંત્ર હારી જશે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે આયોજિત રાજેન્દ્ર માથુર મેમોરિયલ લેક્ચર આપતી સમયે મુખર્જીએ કહ્યું કે ભારતની 13 અરબ લોકોની આબાદી સાત પ્રમુખ ધર્મનું પાલન કરે છે. 122 ભાષાઓ અને 1600 બોલીનો ઉપયોગ કરે છે. છતાં એક સંવિધાનમાં રહે છે. એક પ્રણાલી અને એક ઓળખની સાથે. એ જ ભારત છે. આ ઓળખને ક્યારેય નષ્ટ કરી શકાતી નથી. આપણે તેને નષ્ટ થવા દઈશું નહીં અને જો તે નષ્ટ થશે તો ભારતના રૂપે કંઈ પણ જાણવા જેવું રહેશે નહીં.