દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી આજે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા. તેમને કોરોના વાયરસ પણ હોવાથી ગાઈડલાઈન અનુસાર અંતિમવિધિ કરવામાં આવી અને તે બાદ તેમના દીકરાનું દર્દ પણ છલકાયું હતું
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પંચતત્વમાં વિલીન
અમે તેમને પ.બંગાળ લઇ જવા ઈચ્છતા હતા : અભિજીત બેનર્જી
બાંગ્લાદેશમાં પણ એક દિવસનો રાષ્ટ્રીય શોક
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના દિલ્હીના લોધી રોડ પર આપેલ સ્માનશ ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની અંતિમ યાત્રામાં સામેલ વધુ લોકોએ પીપીઇ કીટ પહેરી પહોંચ્યા હતા.નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી કોરોના પોઝિટિવ હતા, જેના કારણે તેમના અંતિમ સંસ્કારમાં ઓછા લોકો સામેલ થયા હતા. જેમાં બધા લોકો પીપીઇ કિટમાં નજરે પડ્યા હતા. દિકરા અભિજીત મુખર્જીએ પિતા પ્રણવ મુખર્જીને મુખાગ્નિ આપી. પ્રણબ દાનો અંતિમ સંસ્કાર રાજકીય સન્માનની સાથે કરવામાં આવ્યો.
#WATCH Delhi: Former President #PranabMukherjee laid to rest with full military honours.
પ્રણબ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જી કહ્યું કે તેમની ઉપસ્થિતિ અમારા પરિવાર માટે ખૂબ મોટી હતી અને અમે હંમેશા યાદ કરીશું. તેમણે કહ્યું કે કોરોના વાયરસ તેમની મોતનું મુખ્ય કારણ નથી બ્રેન સર્જરીના કારણે તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર થઇ. અમે તેમને પ.બંગાળ લઇ જવા ઈચ્છતા હતા પણ કોરોના વાયરસના કારણે આવું શક્ય થઇ શક્યું નહીં જેનો અફસોસ હંમેશા રહેશે.
Due to COVID-19, Pranab Mukherjee's mortal remains were carried in van instead of gun carriage
પ્રણબ મુખર્જીના નિધન બાદ બાંગ્લાદેશમાં પણ એક દિવસનો રાષ્ટ્રીય શોકનું એલાન કરી દેવામાં આવ્યું. બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે પ્રણબ મુખર્જીને બાંગ્લાદેશના સાચા મિત્ર ગણાવ્યા.
આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનો મૃતદેહ તેમના 10, રાજાજી માર્ગ સ્થિત આવસ પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ત્રણેય સેનાના પ્રમુખ સહિત દિગ્ગજ વ્યક્તિઓએ પૂર્વા રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદી કેબિનેટની બેઠકમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન કેબિનેટના બધા સભ્યોએ બે મિનીટનું મૌન રાખ્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે પ્રણબ મુખર્જીના જવાથી એક ખાલીપન આવી ગયુ છે. તેઓ ઉદાર અને દયાળુ હતા, તેઓ વાતચીત દરમિયાન એવી જાહેર થવા દેતા નહોતા કે હું ભારતના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી રહ્યો છું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રણબ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહે કહ્યું કે તેમણે દાયકાઓથી રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યો. સરકારમાં હોય કે વિપક્ષમાં, તેમણે બધાને સાથે રાખ્યાં.
#WATCH HM Amit Shah says, "It's a sad day that #PranabMukherjee isn't among us anymore...He had expertise in taking everyone together. When in power, he always struck a balance with those in opposition. When in opposition, he never stepped away from playing a constructive role." pic.twitter.com/c4A4EJYQHQ