ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને 8 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવશે. પ્રણબ મુખર્જી જુલાઇ 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તે પહેલા તેમણે નાણા, રક્ષા તથા વિદેશ મંત્રાલય જેવી અગત્યની જવાબદારીઓ નિભાવી છે. વર્ષ 2004થી 2012 સુધી કેન્દ્રમાં રહેલી UPA સરકારના તેમને 'સંકટ મોચન' માનવામાં આવતા હતા.
કોંગ્રેસે નિર્ણયને આવકાર્યો
કોંગ્રેસના નેતાઓએ પ્રણબ મુખર્જીને ભારત રત્ન એનાયત કરવાના નિર્ણયને આવકાર્યો હતો. ભારત રત્નની જાહેરાત પછી, પ્રણવ મુખર્જીએ તેમના સંદેશમાં કહ્યું હતું કે, "હું ભારતના લોકો પ્રત્યે નમ્રતા અને કૃતજ્ઞતાની ભાવનાની સાથે આ મહાન સન્માન ભારત રત્નને સ્વીકારું છું. મેં હંમેશાં કહ્યું છે અને હું પુનરાવર્તન કરું છું. મારા મહાન દેશના લોકો પાસેથી તેના કરતાં મને વધારે મળ્યું જેટલું મેં તેમને આપ્યું છે. "
નાની ઉંમરે બન્યા દેશના યુવા નાણાંમંત્રી
1982 માં, મુખર્જી 47 વર્ષની ઉંમરે દેશના સૌથી યુવા નાણાંમંત્રી બન્યા હતા. 2004 થી તેમણે વિદેશ, સંરક્ષણ અને નાણાં મંત્રાલય, ત્રણ મહત્વપૂર્ણ મંત્રાલયોની મહત્વની જવાબદારી સંભાળી. 'પ્રણબ દા' તરીકે જાણીતા, મુખર્જી 2012 થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ હતા. ગયા વર્ષે નાગપુરમાં RSSના એક કાર્યક્રમમાં સામેલ થયા ત્યારે મુખરજીને કેટલાક લોકોની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી ખુશી પ્રગટ કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીને ભારત રત્ન આપવાની ઘોષણા પર ખુશી વ્યક્ત કરી હતી કે મુખર્જીએ તેમના નિ:સ્વાર્થ કાર્યથી દેશની વિકાસ યાત્રામાં પ્રબળ છાપ ઉભી કરી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું: 'પ્રણવ દાએ આપણા સમયના ઉત્તમ રાજકારણી છે.
તેમણે દાયકાઓ સુધી નિ:સ્વાર્થ અને અવિરતપણે દેશની સેવા કરી છે અને દેશની વિકાસયાત્રા પર પ્રબળ છાપ છોડી છે. તેમની બુદ્ધિમતા અને સમર્પણ બહુ ઓછા લોકો હશે. પ્રસન્નતા છે કે તેમને ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવી છે. "