પ્રણવ મુખર્જીને સોમવારે બપોરે લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સર્જરી પહેલા કોવિડ -19 ની પુષ્ટિ પણ થઈ હતી.
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની સ્થિતિ હજુ પણ ગંભીર છે. કોરોના વાયરસથી ચેપ લાગ્યાં બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની બ્રેઈન સર્જરી પણ કરવામાં આવી છે. તેઓ દિલ્હીની સૈન્યની હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલે તેમનું હેલ્થ બુલેટિન બુધવારે બહાર પાડ્યું છે.
પ્રણવ મુખર્જીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેમની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.
Former President Pranab Mukherjee’s health condition continues to remain critical. Presently he is haemodynamically stable & on a ventilator: Army Research & Referral (R&R) Hospital, Delhi Cantt
Pranab Mukherjee (file pic) underwent emergency surgery for a brain clot on 10th Aug pic.twitter.com/ZyTBDhZh39
પ્રણવ મુખર્જીએ સોમવારે ટિ્વટ કર્યું હતું કે તેઓ કોવિડ -19ના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાં છે અને ગયા અઠવાડિયે સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેશનમાં જવાની અને કોવિડ -19 ટેસ્ટ કરાવવાની અપીલ કરી હતી.
પ્રણવ મુખર્જી (84 વર્ષ) ને સોમવારે બપોરે આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સર્જરી પહેલા કોરોનાની પુષ્ટિ પણ થઈ હતી.
પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ એક ટ્વીટ શેર કરી હતી. આમાં તેમણે કહ્યું છે કે, 'ગયા વર્ષે 8 ઓગસ્ટ મારા માટે સૌથી આનંદનો દિવસ હતો. તે દિવસે મારા પિતાને ભારત રત્ન મળ્યો હતો. બરાબર એક વર્ષ પછી, 10 ઓગસ્ટે, તે ગંભીર રીતે બીમાર પડ્યા. ભગવાન જે પણ કરે તેમના માટે સૌથી શ્રેષ્ઠ હોય. ભગવાન તેમને જીવનના સુખ અને દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું તેમની ચિંતા માટે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું.