પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ લોકસભા અને રાજ્યસભાની સીટોને વધારવાની વકાલત કરી છે. પ્રણવ મુખર્જીનું કહેવું છે કે ભારતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે મતવિસ્તાર ઘણો મોટો છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ આપ્યો નવો તર્ક
સાંસદોની સંખ્યા વધારોઃ મુખર્જી
વસ્તી મુજબ પ્રતિનિધિ વધવા જરૂરીઃ મુખર્જી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ લોકસભાની બેઠકમાં વધારો કરવાનો તર્ક મૂકીને એક નવી જ ચર્ચાની શરૂઆત કરાવી છે. અટલ બિહારી વાજપેયી સ્મૃતિ વ્યાખ્યાનમાં પ્રણબ મુખર્જીએ કહ્યું કે લોકસભાની બેઠકો હાલ 543 છે, જેને વધારીને 1 હજાર કરવાની જરૂર હાલમાં સમયમાં જણાઈ રહી છે. આ સાથે જ રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવાની જરૂર છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ આપ્યા આ કારણો
આ તર્ક પાછળ પૂર્વ રાષ્ટ્રપતિએ કેટલાક કારણો પણ લોકો સમક્ષ મૂક્યા, તેમણે કહ્યું કે દેશની વસ્તી અને વિવિધતાના કારણે બેઠકો વધારવી જરૂરી છે, જેની લોકો કોને ચુંટવા ઈચ્છે છે, તે સ્પષ્ટ થઈ શકે. છેલ્લી વખત વર્ષ 1977માં લોકસભાની બેઠકોની સંખ્યામાં ફેરફાર થયો હતો. આ સમયે વર્ષ 1971ની વસ્તી ગણતરી મુજબ લોકસભા ક્ષેત્ર નક્કી થયા હતા. વર્ષ 1971માં દેશની વસ્તી માત્ર 55 કરોડ હતી અને હાલમાં આપણા દેશની વસ્તી 130 કરોડને પાર થઈ ચુકી છે. એટલે પ્રતિનિધિઓની સંખ્યામાં ફેરફાર જરૂરી બની જાય છે. દેશમાં એકસાથે લોકસભા અને રાજ્યોની વિધાનસભા ચૂંટણી મામલે પણ પ્રણબ મુખર્જીએ સવાલ ઉઠાવ્યા છે.
નવા સંસદ ભવનને લઈને પણ કરી આ ટિપ્પણી
આ સાથે જ પ્રણવ મુખર્જીએ કહ્યું કે મને આશ્ચર્ય છે કે ભારતમાં સંસદીય પ્રણાલીના કામમાં મદદ કરવા કે સુધારો કરવા માટે એક નવા સંસદ ભવનની શું જરૂર છે. જો લોકસભાની સંખ્યા વધારીને 1000 કરી દેવામાં આવે છે તો સેન્ટ્રલ હોલને લોકસભામાં બદલી શકાય છે અને રાજ્યસભાને હાલની લોકસભાની જગ્યાએ સ્થાનાંતરિત કરી શકાય છે.