પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત લથડી રહી છે. બુધવારે હોસ્પિટલે જાહેર કરેલા આરોગ્ય બુલેટિનમાં એવી માહિતી મળી છે કે પ્રણવ મુખર્જીના ફેફસાંમાં હવે ચેપ લાગવાના સંકેત દેખાઈ રહ્યા છે. તેમની વેન્ટિલેટર પર સતત સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે જ ડોકટરોની એક વિશેષ ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયતમાં લથડી રહી છે
ડોકટરોની એક વિશેષ ટીમ રાખી રહી છે નજર
આપને જણાવી દઈએ કે 84 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે દિલ્હી કેન્ટોનમેન્ટની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના મગજમાં લોહીનું ગંઠન કાઢવા માટે તેનું ઓપરેશન કરાયું હતું અને ત્યારથી તે કોમામાં છે. તેમને કોરોના વાયરસથી પણ ચેપ લાગ્યો છે.
There has been a decline in the medical condition of Former President Pranab Mukherjee as he has developed features of lung infection. He continues to be on ventilatory support & is currently being managed by a team of specialists: Army Research&Referral Hospital,Delhi
(file pic) pic.twitter.com/ZVYVj3kLF6
On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today.
I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee
ઉલ્લેખનીય છે કે, મંગળવારે હોસ્પિટલમાંથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, શ્રી પ્રણવ મુખરજીના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે હજી વેન્ટિલેટર પર છે અને તેના મુખ્ય અંગોની હાલત સ્થિર છે. પ્રણવ મુખર્જી વર્ષ 2012 થી 2017 દરમિયાન દેશના 13 મા રાષ્ટ્રપતિ હતા.