દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પોતાના સંસ્મરણમાં લખ્યું છે કે મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસ પાર્ટી રાજકીય દિશાથી ભટકી ગઇ હતી. જો કે કેટલાક પાર્યના સભ્યોનું માનવું હતું કે જો 2004માં પ્રણબ મુખર્જીને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યો હતો 2014 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને આવા પરાજયનો સામન ન કરવો પડ્યો હોત.
સ્વર્ગસ્થ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના પુસ્તકમાં કોંગ્રસનો ઉલ્લેખ
'મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસ રાજકીય દિશાથી ભટકી'
'જો હું PM બન્યો હોત તો 2014માં કોંગ્રેસની આવી હાલત ન હોત'
પશ્ચિમ બંગાળના અને કોંગ્રેસના નેતા પ્રણબ મુખર્જીએ પોતાના પુસ્તક 'ધ પ્રેસિડેંશિયલ ઇયર્સ'ને લખી ચૂક્યા હતા. રુપા પ્રકાશ દ્વારા પ્રકાશિત આ પુસ્તક જાન્યુઆરી 2021થી મળવાનો પ્રારંભ થઇ જશે.
પ્રણબ મુખર્જીનું કોરોના વાયરસ સંક્રમણ બાદ થયેલી આરોગ્ય સંબંધી જટિલતાના કારણે 31 જુલાઇના રોજ 84 વર્ષની ઉંમર નિધન થયું હતું. પુસ્તકમાં કોંગ્રેસના સંદર્ભમાં તેમની ટીપ્પણી એવા સમયે સામે આવી રહી છે જ્યારે પાર્ટીમાં આંતરિક કલેશ જોવા મળી રહ્યો છે.
આ પુસ્તકમાં પ્રણબ મુખર્જીએ લખ્યું છે કે કેટલાક પાર્ટી સભ્યોનું માનવું હતું કે જો 2004માં તેઓ પ્રધાનમંત્રી બન્યા હોત 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને આવા કારમા પરાજયનો સામનો કરવો ન પડ્યો હોત. જો કે હું આ બધી વાતચીતમાં કોઇ તથ્ય માનતો નથી.
પ્રણબ મુખર્જીએ પુસ્તકમાં લખ્યું છે કે હુ માનુ છું કે મારા રાષ્ટ્રપતિ બન્યા પછી પાર્ટી નેતૃત્વએ રાજકીય દિશા ગુમાવી દીધી છે. સોનિયા ગાંધી પાર્ટીના મુદ્દાઓને સંભાળવામાં અસમર્થ હતા તો મનમોહનિસહની સદનમાં લાંબા સમયથી ગેરહાજરીથી સાંસદોની સાથે કોઇપણને વ્યક્તિગત સંપર્ક પર વિરામ લાગી ગયો.
પૂર્વ રાષ્ટ્રપતિએ લખ્યું છે કે મારુ માનવું છે કે શાસન કરવા નૈતિક અધિકાર પ્રધાનમંત્રીની સાથે સમાયેલો છે. દેશનું સંપૂર્ણ શાસન વ્યવસ્થા પ્રધાનમંત્રી અને તેમના તંત્રના કામકાજનું પ્રતિબિંબ હોય છે. મનમોહનસિંહ ગઠબંધનને બચાવવામાં ધ્યાનમગ્ન રહ્યાં જેની અસર શાસન પર જોવા મળી, જ્યારે નરેન્દ્ર મોદી પોતાના પહેલા કાર્યકાળમાં શાસનની સર્વસત્તાવાદી શૈલી અપનાવતી જોવા મળી.
આ પુસ્તકમાં પશ્ચિમ બંગાળના નાના ગામમાં પસાર કરેલ બાળપણથી લઇને રાષ્ટ્રપતિ સુધીના તેમના લાંબા સફર પર રોશની પાડી છે.