દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત ત્રણ હસ્તીઓ નાનાજી દેશમુખ, અને ભૂપેન હજારિકાને ભારત રત્નથી સમ્માનિત કર્યા.
ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પૂરસ્કાર છે. જે અસાધારણ રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે. કેન્દ્રની મોદી સરકારે 70માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર 25 જાન્યુઆરી 2019ના રોજ ભારતીય જનસંઘના વિચારક અને ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક સભ્યોમાંથી એક નાનાજી દેશમુખ, પ્રસિદ્ધ આસામી કવિ અને સંગીતકાર ભૂપેને હજારિકા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નની જાહેરાત કરી હતી.
નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને આ સમ્માન મરણોપરાંત મળ્યું છે. સર્વોચ્ચ નાગરિક સમ્માન અંતિમ વાર 2015માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇ અને પંડિત મદન મોહન માલવીય (મરણોપરાંત) અપાયો હતો. અત્યાર સુધીમાં 45 હસ્તિઓને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે. આમ હવે 48 લોકોને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
Delhi: Former President Pranab Mukherjee greets Prime Minister Narendra Modi and Vice President Venkaiah Naidu after receiving 'Bharat Ratna' from President Ram Nath Kovind. pic.twitter.com/x3IgUN831d
2017માં રાષ્ટ્રપતિ પદથી નિવૃત થયેલ પ્રણવ મુખર્જીને ભારત રત્ન મળવો તમામ માટે આશ્ચર્યજનક બની રહ્યું. રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધ હતા. એમણે અઢી વર્ષ નરેન્દ્ર મોદી સરકાર અંતર્ગત કામ કર્યું હતું.
એક કોંગ્રેસી નેતા રૂપે રાજનીતીમાં આગવુ નામ બનાવનાર મુખર્જી (84)એ ગત વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નાગપુર સ્થિત મુખ્યાલયમાં એક કાર્યક્રમમાં સામેલ થઇ વિવાદ ઉભો કર્યો હતો.
કવિ, ગાયક, ગીતકાર અને ફિલ્મ નિર્માતા હજારિકાનું 85 વર્ષની ઉંમરે 2011માં નિધન થઇ ગયું હતું. એમણે આસામી લોકગીત અને સંસ્કૃતિને હિન્દી સિનેમામાં લાવી રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી.
ત્યારબાદ ભારત રત્ન માટે ત્રીજી પસંદ નાનાજી દેશમુખ એક આરએસએસ પ્રચારક હતા. જે 60ના દાયકામાં ઉત્તર પ્રદેશના પ્રભારી બની ઉભર્યા હતા અને 1980ના દાયકામાં ભાજપના શિલ્પકારોમાંથી એક હતા.