પ્રણવ મુખર્જીના પુસ્તક ધ પ્રેસીડેન્શિયલ યરમાં પીએમ મોદી અને મોદી સરકારના પહેલા કાર્યકાળને લઈને ઘણા બધા ઉલ્લેખ કરવામાં આવ્યા છે જેમાં પીએમ મોદીને પ્રણવ દાએ તાનાશાહ ગણાવ્યા છે.
નોટબંધી પહેલા સલાહ લેવાઈ ન હોવાનો પુસ્તકમાં ઉલ્લેખ
પ્રણવ મુખર્જીએ સર્જીકલ સ્ટ્રાઈકને સામાન્ય ઓપરેશન ગણાવ્યું
પહેલા કાર્યકાળમાં પીએમ મોદીની કાર્યશૈલી તાનાશાહી જેવી રહી : પ્રણવ મુખર્જી
'પીએમ મોદીની કાર્યશૈલી તાનાશાહી જેવી રહી'
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના અંતિમ સંસ્મરણમાં મોદી સરકાર અને પીએમ મોદી વિશે ઘણું બધુ લખ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિએ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને ખૂબ નજીકથી જોયા છે તથા તેની ટીકા કરવામાં આવી છે. તેમણે પોતાની પુસ્તકમાં લખ્યું છે કે કાર્યકાળમાં મોદી સરકારે પોતાની પ્રાથમિક જવાબદારીને યોગ્ય રીતે નિભાવી ન હતી અને સંસદ સત્ર પણ સારી રીતે ન ચલાવ્યું. તેમણે કહ્યું કે પહેલા કાર્યકાળમાં પીએમ મોદીની કાર્યશૈલી તાનાશાહી જેવી રહી. મુખર્જીએ પોતાના પુસ્તકમાં પીએમ મોદીની પાકિસ્તાન યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે બોલાવ્યા વગર જ કામ વગર નવાઝ શરીફને મળવા જવું એ બંને દેશોના સંબંધ માટે સારું ન હતું.
નોંધનીય છે કે પ્રણવ મુખર્જીના જીવન આધારિત પુસ્તક ધ પ્રેસીડેન્શિયલ યરમાં તેમણે અરુણાચલ પ્રદેશ સરકાર, દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન મોદી વિશે ઘણું બધુ લખ્યું છે.
નોટબંધી મુદ્દે ખુલાસો
નોટબંધી વિશે પુસ્તકમાં પ્રણવ દાએ કહ્યું કે નોટબંધી કર્યા પહેલા કોઇ સલાહ લેવામાં આવી ન હતી અને પગલાં લેવાઈ ગયા બાદ તેમને આખી ઘટનાની જાણ થઈ અને તેમનાથી આ મુદ્દે સમર્થન પણ માનવામાં આવ્યું.
બરાક ઓબામાના ભારત પ્રવાસનો ઉલ્લેખ
આ સિવાય પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જ્યારે બરાક ઓબામા ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે પ્રણવ મુખર્જીએ સાફ કરી દીધું હતું કે ઓબામાએ ભારતના રાષ્ટ્રપતિની સાથે જ સમારોહમાં જવાનું રહેશે અને ગણતંત્ર દિવસની પરેડમાં ભારતની વ્યવસ્થા અને સુરક્ષાનું પાલન કરવાનું રહેશે.
સર્જીકલ સ્ટ્રાઈક પર મોટું નિવેદન
પ્રણવ મુખર્જીએ વધુમાં લખ્યું છે કે એમ કહેવું કે પીએમ મોદીના આવ્યા પછી જાપાન સાથે સંબંધ સારા થયા છે તે ખોટું છે. જાપાન સાથે વર્ષ 2014 પહેલા પણ ખૂબ સારા સંબંધ હતા અને મોદીના પીએમ બન્યા પહેલા પણ શીન્ઝો આબે ભારત આવી ચૂક્યા હતા. પ્રણબ મુખર્જીએ સર્જીકલ સ્ટ્રાઈક પર પણ આ પુસ્તકમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે સર્જીકલ સ્ટ્રાઈકને એક સામાન્ય મિલીટરી ઓપરેશન ગણાવી જે પાકિસ્તાનની હરકતના વિરોધમાં કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સેનાની આ કાર્યવાહીનું આ રીતે પ્રચાર કરવાની જરૂર ન હતી. આ ઓપરેશનમાં અમને કશું હાંસલ ન થયું.