દેશની અર્થવ્યવસ્થામાં મંદીની રિપોર્ટ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ખારિજ કરતા એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, આ રિપોર્ટ ( બેરોજગારી પર NSSO રિપોર્ટ) ખોટી છે. તેમણે કહ્યુ કે, જો દેશમાં મંદી હોય તો 2 ઓક્ટોબરના રિલીઝ થયેલી 3 ફિલ્મોએ 120 કરોડ રૂપિયા કમાણી ના કરી હોત. અર્થવ્યવસ્થા તંદુરસ્ત છે તેમ છતાં ફિલ્મોએ સારી કમાણી કરી છે.''
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના નિવદેન પર પ્રકાશ રાજે આપી પ્રતિક્રિયા
ટ્વીટ કરીને કહ્યુ કે, ''શું હવે ફિલ્મોમાં લીડ રોલમાં તમારા લીડર જોવા મળશે?''
જોકે આ નિવેદન પર વિપક્ષી દળો દ્વારા નિંદા કરવામાં આવી રહી છે. આ વચ્ચે ફિલ્મમાં એક્ટર પ્રકાશ રાજે રવિશંકર પ્રસાદને નિવેદન પર કટાક્ષ કરી છે. મોટેભાગે ભાજપ પર નિશાનો સાધનાર એક્ટર પ્રકાશ રાજે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના નિવેદન પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યુ કે, ''જો 3 ફિલ્મોથી 120 કરોડની કમાણીથી સ્વસ્થ ઇકૉનોમીની ખબર પડી શકે છે? તો શું તમે લીડ રોલમાં તમારા લીડરની સાથે ફિલ્મ બનાવવાનું શરૂ કરશો?''
OMG 😮 Really..!!! if 3 films earning 120 crores reflects healthy economy .. will you now start making films with your leader in a lead role #justaskingpic.twitter.com/Fsj6B1dFfU
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કાયદાકીય મંત્રી રવિશંકર પ્રસાદે ફિલ્મોએ 1 દિવસમાં 120 કરોડની કમાણી કરવાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યુ કે, ''હું મારું નિવેદન પાછું લઉં છું. દેશમાં આર્થિક મંદી નથી. તેમણે આ અંગે તર્ક આપ્યો હતો કે ત્રણ ફિલ્મોએ મળીને એક જ દિવસમાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેનાથી સાબિત થાય છે કે દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે. હવે તેમણે પ્રેસ રિલીઝ બહાર પાડીને કહ્યું છે કે તેમનું નિવેદન આંકડાઓના આધારે યોગ્ય હતું, પરંતુ તેનો ખોટો અર્થ કાઢવા પર તેમને દુ:ખ છે.''
Where is our LEADERs security.. Why have you left him alone to clean with a CAMERAMAN following .. HOW dare the concerned departments have not cleaned the vicinity when a Foreign delegation is here .. ..#justaskingpic.twitter.com/8rirZdzWXf
શનિવારે સવારે મહાબલીપુરમ (મમલ્લાપુરમ) ના દરિયા કિનાર પર જ્યારે પીએમ મોદી ફરવા માટે પહોંચ્યા ત્યાં તેમણે કચરો જોયો અને તે પછી પીએમ મોદીએ પોતે સફાઇ કરી, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.. જોકે અજય દેવગન સ્ટાટર 'સિંઘમ' જયકાંત સિકરેથી વિલન તરીકે પોતાની અગળ ઓળખ બનાવનાર પ્રકાશે રાજે વીડિયો ટ્વીટ કરતા કહ્યુ કે,''નેતાઓની સુરક્ષા ક્યાં ગાયબ થઇ ગઇ છે? તમે તેમણે એક કેમેરામેનની સાથે એકલા સાફ-સફાઇ કરવા માટે કેમ છોડી દીધા? જ્યાં દેશમાં વિદેશી મહેમાન આવ્યા, ત્યારે સંબંધિત વિભાગે સફાઇ ના કરવાની હિંમત કેવી રીતે બતાવી? માત્ર આટલું જ પૂછી રહ્યો છું.''