એર ઇન્ડિયા (Air India)ના રણનીતિક વેચાણને લઇને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે નિવેદન આપ્યું છે. મંત્રીએ કહ્યું કે હવે કોઇપણ એનઆરઆઇ (NRI) એરલાઇન્સમાં 100 ટકા હિસ્સો ખરીદી શકશે. પહેલા આ માત્ર 49 ટકા હતો.
એનઆરઆઇ (NRI) એરલાઇન્સમાં 100 ટકા હિસ્સો ખરીદી શકશે
સરકારે જાન્યુઆરીમાં Air Indiaમાં 100 ટકા હિસ્સો વેચવા પ્રારંભિક સૂચના જારી કરી હતી
નોંધનીય છે કે સરકારે જાન્યુઆરીમાં Air Indiaમાં 100 ટકા હિસ્સો વેચવાને લઇને પ્રારંભિક સૂચના જારી કરી હતી.
હરાજીના દસ્તાવેજ અનુસાર, રણનીતિક વિનિવેશ હેઠળ એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસમાં પોતાનો 100 હિસ્સો અને જોઇન્ટ વેન્ચર AISATSમાં 50 ટકા હિસ્સો વેચશે. એર ઇન્ડિયા માટે હરાજીની અંતિમ તારીખ 17 માર્ચ છે.
Union Minister Prakash Javadekar: Regarding the strategic sale of Air India, now Non-resident Indians (NRIs) can acquire 100% of stake in the airlines. Earlier it was 49%. pic.twitter.com/m2T7X3al7F
AISATS એર ઇન્ડિયા અને સિંગાપુર એરલાઇન્સનું સંયુક્ત ઉદ્યમ છે જેમા બંનેની સમાન ભાગીદારી છે. હરાજીના દસ્તાવેજ અનુસાર, વિનિવેશના સમાપ્ત થવા સુધી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ પર 23,286 કરોડ રૂપિયાનું દેવુ બની રહેશે. બાકી દેવુને એઆઇએએચએલ (AIAHL)ને ટ્રાન્સફર કરવામાં આવશે.